________________
પરિછેદ. પતિશિક્ષપદેશ-અધિકાર. અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર ર૮૧ ઇંદિયરૂપી ચોરાથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નોની રક્ષા.
दासत्वं विषयप्रभोगंतवतामात्मापि येषां परस्तेषां भी गुणदोषशून्यमनसां किं तत्पुनश्यति । भेतव्यं भवतैव यस्य भुवनप्रद्योति रत्नत्रयं,
भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्वं तन्मुहुर्जागृहि ॥ ३७॥ હે મુનિ! જે વિષયરૂપી સ્વામીના દાસ થઈ ગયા છે, તેમને જો કે આત્મા ઉત્કૃષ્ટ છે, પણ તેમનું મન ગુણ અને દેખથી શૂન્ય થઈ ગયું છે, એટલે તેમને પછી નાશ પામવાનું કાંઈ રહ્યું નથી, તેથી તેમને જાગ્રતિ રાખવાની જરૂર નથી, પરંતુ તારે તે હીતા રહેવું. કારણ કે, આ ભુવનને પ્રકાશિત કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રને જે તારી પાસે રહેલાં છે, તેમને ચોરી લેવા માટે તેની આસપાસ ઇદ્રિયરૂપી ચોર લોકો હંમેશાં ફર્યા કરે છે. ૩૭
યતિને માટે ટુંક શિખામણ.
મનહર. * ભુલે ફિરે શ્રમ તે કહત કછુ આર ઓર
કરત ન તાપ દૂરી કરત સંતાપકુ; દક્ષ ભય રહે પુંની દક્ષ પ્રજાપતિ જેસે દેત પર દક્ષિણા ન દીક્ષા દેત આપકું. સુંદર કહત એસે જામે ન યુગતી કછુ; ઔર જાપ જપ ન જપત નીજ જાપકું, બાલ ભચે જવાન ભયે વય વીતે વધ ભયો,
વધુ રૂપ હેઈકે વીસરી ગયે આપકું ૩૮ આ પ્રમાણે બોધ આપતાં આ યતિશિક્ષપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
अधदग्ध साधु अवस्था-अधिकार.
કુસાધુના હિતાર્થે અને આત્મતેજ ઓળખાવવા યતિશિશ્નોપદેશ અધિકાર પૂર્વે લખાય છે પરંતુ જ્યાં સુધી મનરૂપી ઘોડાની સ્થિતિ સાધુ અવસ્થામાં દઢ થતી નથી ત્યાં સુધી ફક્ત સાધુવેશ પહેરવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી પણ ઉલટું અને ભ્રષ્ટ તત જેવી અવસ્થા થઈ રહે છે.
* સુંદરદાસ,