________________
૧e.
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
कुवक्ता-अधिकार.
વક્તા” શબ્દ કાંઈ ડી મહત્તાવાળે નથી. કારણ કે જગત્માના તમામ ધર્મો વક્તા પુરૂષોની વકતૃત્વ શકિતથી વિસ્તારને પામી શકે છે. પરંતુ જોઈશું તે વ્યાખ્યાન કર્તાઓમાં સુવક્તા ઘણુ શેડા હોય છે પણ વિદ્યાભ્યાસને અભાવે અગર તે અંધશ્રદ્ધા કે ગર્વ બુદ્ધિથી કુવક્તાઓનું બાહુલ્ય હોય છે, એક નીતિશાસ્ત્રમાં કહેલ છે કે –
शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः ।
लक्षेषु जायते दाता वक्ता कोटिषु दुर्लभः॥ અર્થાત તે મનુષ્યમાં એક શૂરવીર પુરૂષ નિકળે છે, હજાર પુરૂમાં એક વિદ્વાન પુરૂષ મળી શકે છે, લાખ પુરૂમાં એક દાતા પુરૂષ પ્રાપ્ત થાય છે, જ્યારે વક્તા પુરૂષ તે ક્રોડ મનુષ્યમાં એક માળ પશુ દુર્લભ થાય છે. એટલે વિષય સબન્ધ વિગેરે સાથે ન્યાયથી બેલનાર વક્તા દુર્લભ હોય છે જ્યારે વિષયાતર કરી વાર્તાઓના અપ્રાસંગિક ગપાછો હાંકવા સાથે આડકતરી રીતે ગાવાવાળા ઘણા પુરૂષે હોય છે અને તે પુરૂષે એમ પણ સમજતા નથી કે-“અનારોજિત સાથે स्य वाग्जालं वाग्मिनो वृथा निमित्तादपराद्धेपोर्धानुष्कस्येव वल्गितम् "
એટલે કે જેમ લયથી જેનું બાણ ખસી ગયું છે તેવા ધનુષ્યધારીની લડાઈ વ્યર્થ છે, તેમ પ્રસંગ વિગેરેના કાર્યની જેનામાં જ્ઞાન શક્તિ નથી એવા વાચાળ પુરૂષનું બેલવું વ્યર્થ છે. આવી રીતે વક્તવ્ય તેમ વકતાના ગુણ જ્ઞાન ઉપર ધમની મહત્તા અને વિશાળતા આધાર રાખે છે. તેથી વક્તાની પીછાણ થવા સાથે કુવક્તાના ભેદ સમજી શકાય તેટલા માટે આ કુવકતા-અધિકારનો આરંભ કરવામાં આવે છે.
અસંભવિત વક્તવ્ય.
અનુદ્દ૬. (૧ થી ૩). असम्भाव्यं न वक्तव्यं प्रत्यक्षं यदि दृश्यते ।
यथा वानरसंगीतं तथा तरति सा शिला ॥ १ ॥ જે પ્રત્યક્ષ નેત્રથી જોયું હોય તો પણ જે અસંભવિત છે, તે ન બોલવું. જેમ વાનવાનું ગીત અને શિલાનું તરવું. અર્થાત્ “પથ્થર તરે છે” તે વાત. ૧