________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચત ઇએ. બાકી તે મેરૂ પર્વત જેટલાં એવા મુહુપત્તિ જ્યાં તેમાં પણ કાંઈ આત્માનું વળ્યું નથી. ૨-૩ +
તારા ક્યા ગુણ માટે તું ખ્યાતિની ઈચ્છા રાખે છે? न कापि सिद्धर्न च तेऽतिशायि, मुने क्रियायोगतपःश्रुतादि । तथाप्यहङ्कारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ् मुधा किम् ॥ ४॥
હે મુને ! તારામાં નથી કોઈ ખાસ સિદ્ધિ કે નથી ઉચા પ્રકારનાં કિયા, ગ તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કદઈના પામે પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું નકામે પરિતાપ શા માટે કરે છે?
ભાવાર્થ—અણિમા વિગેરે આઠ સિદ્ધિ, તારામાં હોય અથવા ઉંચા પ્રકારની આતાપના લેવા રૂપ કે ઘેર પરીષહ ઉપસર્ગોદિ સહેવારૂપ ક્યિા હોય કે ગવહન
+ ૨ થી ૨૭ અધ્યાત્મકલ્પ કુમ. ૧ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે૧ અણિમા સિદ્ધિ. એથી શરીર એટલું સૂક્ષ્મ કરી શકાય છે કે જેમ સેયના કાણામાંથી દે
ચાલ્યો જાય છે તેમ તેટલી જગામાંથી પોતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ. આણુમા સિદ્ધિથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે મેરૂ પર્વત પણ તેના
શરીર આગળ જાનું પ્રમાણ થાય. ૩ લધિમા સિદ્ધિ. પવનથી પણ વધારે હલકા ( તેલમાં ) થઈ જાય છે. ૪ ગરિમા સિદ્ધિ. વજથી અત્યંત ભારે થઈ જાય. એ ભાર એટલે બધે થાય કે ઈંદ્રાદિક
પણ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. શરીરની એટલી બધી ઉંચાઈ કરી શકે કે ભૂમિ ઉપર રહ્યા છતાં અંગુ
લિના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચ અને ગ્રહાદિકને સ્પશે. (વૈક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્ય શક્તિ. પાણીની પેઠે જમીનમાં ડૂબકી મારી શકે અને જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ. ચક્રવર્તી અને ઇંદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિવાન થાય. ૮ વશિત્વ. સિંહાદિ દૂર જંતુઓ પણ વશ થઈ જાય-આદિશ્વર ચરિત્ર સર્ગ ૧ લે ૮૫ર-૮૫૯
8 ગવહન–સૂત્ર સાધુથી વાંચી શકાય, અમુક વર્ષના દીક્ષા પર્યાય પછી વાંચી શકાય અને ગવહન ની ક્રિયા કર્યા પછી વાંચી શકાય. આ ત્રણે બાબત બહુ ઉપયોગી છે પણ તેના હેતુ સંબંધી વિશેષ વિવેચન કરવાનું અત્ર સ્થળ નથી; પરંતુ શાસ્ત્રના ઉપગી રહસ્ય ઉપર એ હકીક્ત બંધાયેલી છે. શ્રાવક આરંભમાં રક્ત હોય ત્યાં રહસ્યની વાત જાણવામાં આવતાં અપવાદ સેવી જાય. સાધુ પણ અમુક દીક્ષા પયય પછીજ અપવાદ માર્ગો ગ્રહણ કરી શકે, કારણ કે સંયમમાં અમુક વખત સુધી રમણુતાથી અને યોગવહન કરવાથી મન વચન કાયાપર યોગ્ય અંકુશ આવે એ યોગવહનના સામાન્ય હેતુ છે.