________________
૨૦૫
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
તૃતીય
તથા
पश्य सत्सङ्गमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः ।
लोहं स्वर्णं भवेत्स्वर्णयोगात्काचो मणीयते ॥ ११ ॥ કે હે ભાઈ! તું સત્સગનું મહાભ્ય જે, (કારણ કે) સ્પર્શ પાષાણ (પારસમણિ) ના રોગથી લેઠું સેનું થઈ જાય છે. અને સેનાના સાગથી કાચ મણિ તુલ્ય દેખાય છે. ૧૧
સતના આશ્રિતને થતું ફળ. महिमानं महीयांसं, सङ्गः सूते महात्मनां ।
मन्दाकिनी मृदो वन्द्यात्रिवेदीवेदिनामपि ॥ १२ ॥ મહાત્મા પુરૂને સંગ મહાન મહિમાને પ્રગટ કરે છે, કારણ કે મન્દાકીની (ગંગા)ની માટી (ાગુ, યજુ, સામ) એમ ત્રણ વેદને જાણનારા પુરૂષને પણ વન્ન કરવા યોગ્ય છે. એટલે ગંગાજીના સંગમથી માટીનું એટલું મહાભ્ય વધી જાય છે. ૧૨
ત્યાંથી આગળ ચાલી વિચાર કર્યો કે મારા પિતાની શિખામણથી વિરૂદ્ધ કાર્ય કરવાનું ફળ તે નજરે જોયું. પણ હવે તેની શિખામણ પ્રમાણે ચાલી તેનું ફળ દેખું એમ વિચાર કરી એક શહેરમાં જઈ પહોંચે ત્યાં હેમરથ નામને રાજા રાજ્ય કરતે હતા, અને તેના પુત્રનું નામ “ગુણસ ન્દર” હતું, તેની મિત્રતા બાંધી એમ કેટલોક વખત જતાં હેમરથ રાજા મરણ શર થયો અને ગુણસુન્દર કુમાર રાજાધિરાજ થયો ત્યારે તેણે પોતાના રાજ્યનું પ્રધાનપદ પ્રભાકરને આપ્યું તેથી પ્રભાકર આનન્દમાં આવી ગયે. અને એક ગુણાઢય નામના શેઠની મિત્રતા બાંધી તથા સુન્દર સ્વભાવની “સુશીલા” નામની બ્રાહ્મણ જાતિની ઉત્તમ કન્યાને પરણ્ય, એક દિવસ ઘોડાની હોડ ' થવાથી પ્રધાન તથા રાજા વગેરે તમામ ઘેડેસ્વાર થઈ ગામની બહાર નીકળ્યા તેમાં પ્રધાન તથા રાજાના ઘોડા એવા મસ્ત હતા કે એક વખત કશા (કોરડા) ને પ્રહાર થતાં આકાશમાં ઉડતા હોય તેમ ભૂમિને માપીને ઘોર અરણ્યમાં ચાલ્યા ગયા, દરમ્યાન ઘોડા કુદતા હતા, તેમાં પ્રભાકર પ્રધાને એક અબળાના વૃક્ષમાંથી ૩ આંબળા લઈ પોતાના ખીસામાં નાંખ્યાં હતાં. હવે રાજ તથા પ્રધાન નિમનજ પાણી વગરના વનમાં ચાલ્યા ગયા તેમાં વૈશાખ માસના તડકાને અસહ્ય તાપ પડવાથી રાજાનું મોટું સુકાવા માંડયું અને પરિણામે મૂછ ખાઈ તરસને લીધે રાજા પૃથ્વીમાં પડી ગયે, તેને જોઈ પ્રધાને એક આંબળાનું ચૂર્ણ કરી તેના મુખમાં નાંખ્યું તેથી રાજાને શુદ્ધિ આવી. એમ એક વખત મૂર્છા વળતાં ક્ષણમાં બીજી ત્રીજી વખત મૂછી આવી તે વખતે પ્રધાને બીજું ત્રીજું અમ આંબળાનું ચૂર્ણ તેના મુખમાં નાંખ્યું અને રાજાની મૂછ ઉતરી ગઈ દરમ્યાન એક કલાક જેટલો સમય થવાથી પછવાડેથી રાજાનું લશ્કર આવી પહોંચ્યું તેની પાસે ધણું અન્ન તથા પાણી હતું તેથી રાજાને કઈ પણ પ્રકારની હરકત આવી નહિ. આવી રીતે ઘણી વખત રાજાને પ્રસન્ન કરવાથી આપણી વાતને નાયક પ્રભાકર (પ્રધાન ) મહાન થઇ ગયો એટલે તેણે રાજાની દયાથી પિતાના ઘણું લાગતા વળગતાઓને ધનાઢય કરી દીધા આમ ચાલતું હતું તેમાં પિતાના વચનની પરીક્ષા કરવા સારૂ તેણે એક દિવસ રાજાના એકના એક યારા પાંચ