________________
પરિચ્છેદ
ગુણપ્રશંસા ઓધિકાર, પિતાને ક્ષય થતું હોય તે પણ તેને ગણતા નથી. એકંદરે જતાં સત્યરૂષોને વૈભવ પરોપકારને માટે જ હોય છે કેમકે
उपजाति पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्नि फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः॥१०॥ નદીઓ પિતાનું જળ પોતે પીતી નથી. વૃક્ષે પિતાનાં ફળ પિતે ખાતા નથી. અને મેઘ પિતે ઉત્પન્ન કરેલું ઘાસ પોતે ખાતા નથી. તે ઉપરથી સમજવાનું કે, સપુરૂની વિભૂતિ (વૈભવ) પોપકારને માટે જ હોય છે. ૧૦
મનુષ્ય જન્મ એ મોક્ષગતિ પ્રાપ્ત કરવાને મુખ્ય સ્થાન છે, અને તેથી તે તકને લાભ ગુમાવે તે ચોમાસું જવા પછી જમીન ખેડનારને થતા પશ્ચાતાપ જેવું છે. અગરજે કે ખેતીકારતે પિતાની ભૂલ બીજા વર્ષના માસા પૂર્વે સુધારી શકે છે, પરંતુ મનુષ્યદેહ મળેલ છતાં આત્મહિત સાધવામાં જે પ્રમાદ સેવાય તે પછી તે તક પુનઃ મળવી દુર્લભ છે. અને તેથી જ કહ્યું છે કે આ શરીર પરોપકારને માટેજ છે. તેમાટે કહેલ છે કે
ઉપેન્દ્રવજ્ઞાં. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः।
परोपकाराय चरन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥११॥ વૃક્ષે પરોપકારને માટે ફળે છે, નદીઓ પરોપકારને માટે વહે છે એને ગાયો પરોપકારને માટે ચરે છે. તેવી રીતે આ શરીર પણ પપકારને માટેજ છે, ૧૧
उपजाति. रत्नाकरः किं कुरुते स्वरत्नैर्विन्ध्याचलः किं करिभिः करोति।
श्री खण्डखण्डैर्मलयाचलः किं, परोपकाराय सतां विभूतिः ॥१२॥ રનાકર –સમુદ્ર પિતાના રત્નોથી શું કરે છે? વિધ્યાચળ પર્વત પિતાનામાં ઉપર થતા હાથીઓ વડે શું કરે છે? અને મલયાચળ પર્વત પિતાનામાં ઉગતા શ્રીખંડ-ચંદનને પોતે શે ઉપયોગ કરે છે અર્થાત તેઓ પિતે ઉપગ કરતા નથી પણ બીજાઓના ઉપયોગને માટે રાખે છે. ૧૨
વળી કહ્યું છે કે-સજનોને પરહિત કરવામાં જે આદર હોય છે, તે પિતાનું હિત કરવામાં હેત નથી.