________________
૧૩૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય
પણ મદદ કર્યા કરશે, તે તમારે કંઈ પણ બીહીવાનું નથી. જ્યાં સુધી તમે મિશ. નરીઓના પ્રયત્ન જોઈ રડ્યા કરશે, અને તે માટે કંઈ પણ કરવા શક્તિમાન થયા વગર કૂદકા માર્યા કરશે ત્યાં સુધી હું તમારા પ્રત્યે હાસ્ય કરતે જ રહીશ તમે નાની પુતળીઓ જેવા છે, અર્થાત તમે કે માત્ર છે. સ્વામી પુરાણું બાળકે માટે શું કરી શકશે?
મારા પુત્ર હું જાણું છું કે મારે આવીને તમારા ટેળામાંથી ખરા મનુષ્યને ઉપજાવવા પડશે. હું સારી રીતે જાણું છું કે હિંદમાં ફક્ત સ્ત્રીઓ અને બાયેલાએ જ વસે છે. આથી તમે ગુસ્સે થતા નહિ ત્યાં કાર્ય કરવા માટે મને સાધનેને ખપ પડશે હું નિર્વીર્ય પુરૂના હસ્તકમાં મને મૂકવા માગતા નથી. તમારે તે બાબતની ફિકર રાખવાની નથી. જે હું તમારાથી બને તે કર્યા કરે મારે તે પહેલેથી તે છે. ડા સુધી પડે જ કાર્ય કરવાનું રહ્યું છે.આ આત્મા નિવીર્યથી પ્રાપ્ત થવાને નથી મારા માટેની ભીતિ તમારે રાખવાની નથી. પરમાત્મા મારી સાથે જ રહેલ છે તમારે તે ફક્ત તમારે બચાવ કરવાનું છે, અને તેમ તમે કરી શકે છે એટલું જ મને બતાવી આપશે તે મને સંતોષ થશે, અમુક આમ મારા વિષે કહે છે, એવું લખીને હવે વધારે વાર મારું માથું ખાશો નહિ. મારા વિષે મૂર્ખ અમુક ચુકાદે આપે છે, તે સાંભળવાને હું રાહ જોતું નથી. તમે નાનાં બચ્ચાંઓ ! યાદ રાખો કે મહાન પરિણામે, મહાન વૈર્ય, મહાન સહનશીલતા, અને મહાન પ્રયત્નોથી જ પ્રા. પ્ત થાય છે ક–નું મન વખતે વખત બદલાતું જાય છે. એવી બીક મને રહે છે.
મહાન કાર્યો માત્ર શૂરવીરે જ કરી શકે છે, નહિ કે બાયલાઓ. અશ્રદ્ધાળુ બચ્ચાંઓ! છેવટનું એકી વખતે આટલું તે જાણી લે કે હું પરમાત્માના હસ્તકમલમાં છું જ્યાં સુધી હું પવિત્ર છું અને તે પરમાત્માને દાસ છું ત્યાં સુધી મારા માથાના એક વાળને પણ કોઈ અડકી શકનાર નથી. વાંકે કરી શકનાર નથી દેશ પ્રજા માટે કંઈ કરે પછી તેઓ તમને મદદ આપશે અને ત્યારે આખી પ્રજા તમારી સાથે જ તમારી સહાયમાં રહેશે. બહાદુર બને, વીર બને, મનુષ્યનું મરણ માત્ર એક વખત જ થાય છે. મારા શિષ્ય બાયેલા કદી ન જ હોવા જોઈએ. પ્રેમ પૂર્વક આપને સદાને વિવેકાનંદ.
હાલા (અ)મિશનરીઓના મિથ્યા પ્રલાપ માટે તમને બહુ ગંભીરપણે લાગી આવે છે એ જાણી હું આશ્ચર્ય ચકિત થાઉં છું. હિંદના લેકે હું હિંદુ ખોરાક જ લઉં એમ ઈચ્છતા હોય તે તેઓને એક રસે તથા તેના નિભાવ માટે ના પૈસા મોકલવાનું કૃપાકરી કહે છે આ મૂર્ખાઓ ખરી મદદને એક નાનું સરખો કકડો પણ આપ્યા વગર બકવાટ કરે છે, તેથી મને હસવું આવે છે. બીજી બાજુએ જે મિશનરીઓ એમ તમને કહેતા હોય કે, સન્યાસીનાં બે મહાન વ્રત-નામે પવિત્રતા