________________
પરિચ્છેદ
ગુરૂ આવશ્યક, સાધુ સરળતા અધિકાર
૧૩.
अथ गुरु आवश्यक-आधिकार
ઘણું છોકરા એક હોડીમાં બેસીને મોટી નદીમાં સેહેલ કરતા હતા એટલામાં કાંઇ અકસ્માતથી તે હાડી ડુબવા લાગી તેથી ઘણુ છોકરાઓ નદીમાં કુદી પડયા અને કિનારે પહોંચવા માટે તરફડિયાં મારવા લાગ્યા. એ વખતે ઉભેલા કેાઈ ભલા માણસે તે છોકરાઓને બચાવવા માટે નદીમાં દેરડુ ફેંકયું જે છોકરાએ એ દોરડાને પકડી રાખ્યું તેઓ બચી ગયા, પણ જે છોકરાઓ પોતાના પર ઉપર મુસ્તાક રહ્યા ને એવું અભિમાન કર્યું કે અમને દોરડાની જરૂર નથી, અમે એમજ - કિનારે પહોંચી જઈશું તેઓ નદીના પૂરમાં તણાઈ જઈને ડુબી મુવા. - આપણે પણ અજ્ઞાની છીએ, એટલે તે છોકરાઓના જેવા જ છીએ. આપણું બહાણ તે સંસાર છે. નદી એ કાળને પ્રવાહ છે. કિનારેથી દોરડું ફેંકનાર તે ગુરૂ છે, ને દોરડું તે ધર્મ છે. જેઓએ દેરડું ન પકડયું તેઓ ડુબી મુવા. તેમજ આપણે પણ સશુરૂએ બતાવેલા ધર્મ ન પાળીએ તે જન્મ-મરણના ચક્કરમાં પડી જઇએ માટે ડુબતાને બચાવે તેવા દયાળુ સદ્દગુરૂની જરૂર છે.
આ પ્રમાણે કહી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
साधु सरळता अधिकार
જે ધર્મ અને નીતિતત્વના વેત્તાઓ છે, તેવા મહાન પુરૂષના હૃદયમાં કદિ પણ વિકાર થતું નથી. આ વિશ્વનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરનારા તે મહાત્માઓ સર્વદા નિર્વિકાર વૃત્તિથી રહે છે. ગમે તેવા પ્રસંગે પ્રાપ્ત થાય તે પણ તેમના અમૃતમય હૃદય ઊપર વિકારનું વિષ પ્રસરતું નથી. જેઓ ભુલક વૃત્તિવાળા અને સંકુચિત હદયવાળા છે. તેવાઓને જ આ વિશ્વના વિકારેની અસર થાય છે. વિકાસને વશ નહીં થનારા મહાત્માઓ તે જ ગુરૂ પદને યોગ્ય છે. તેથી ગુરૂ આવશ્યક ને અધિકાર દર્શાવ્યા પછી આ અધિકારનો પ્રસંગ દર્શાવવામાં આવે છે.
* સ્વર્ગ વિમાન