________________
શંકા-સમાધાન ઉપકારાર્થે પૂજ્યશ્રી જે રીતે નિયમિત કૃપા વરસાવી રહ્યાં છે, તેનો ઉપકાર શબ્દોથી વ્યક્ત કરવા અમે અસમર્થ છીએ. છતાં વાંચકો વતી પણ પૂજ્યશ્રી પ્રતિ વંદના અને કૃતજ્ઞતા દાખવીને અમારે સંતોષ માનવો પડે છે. આ વિભાગને બિરદાવતાં અને જિજ્ઞાસા દર્શાવતાં પત્રો કાર્યાલય પર આવતા જ રહે છે. ક્રમસર સૌની જિજ્ઞાસા સંતોષવાનું ધારાધોરણ હોવાથી વાચકો પોતાની શંકાનું સમાધાન પામવા ધીરજ રાખે, એવી વિનમ્ર-વિનંતી પૂર્વક આ વિભાગને શાંતસ્વસ્થ ચિત્તે અવગાહવાનો સહુ કોઈને અનુરોધ કરીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org