________________
શંકા-સમાધાન
૨૩૭
કર્યું હોય તો પચ્ચક્ખાણ આવ્યા પહેલાં આગળ વધી શકાય, આવ્યા પછી નહિ. આમ શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે.
શંકા- ૫૬૦, સાંજે દુવિહારના પચ્ચક્ખાણવાળો આરાધક કાથા ચુનાવાળું પાન તથા તેના ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય કે નહિ ?
સમાધાન— ન થાય. પણ મધ્યરાત્રિ પછી(-લગભગ ૧૨ વાગ્યા પછી) ના વાપરી શકાય.
શંકા- ૫૬૧. દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે કે નહિ ?
સમાધાન– દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસથી ભાવિત સૂંઠ કલ્પી શકે નહિ. (વિ.પ્ર.વિ.૨ પ્ર.૧૪) (હીરપ્રશ્ન જો પ્રકાશ૨૦મો પ્રશ્ન)
શંકા— ૫૬૨. ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકાર સહિયંના પચ્ચક્ખાણમાં પાણી વાપરી શકાય ?
સમાધાન– ઉપવાસમાં પાણહાર નમુક્કારસહિયં પચ્ચક્ખાણ લઇને નવકારશીમાં પણ પાણી વાપરી શકાય. (વિ.પ્ર.વિ.૧ પ્ર.૧૨૩)
શંકા- ૫૬૩. સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ?
સમાધાન– સાંજે તિવિહારનું પચ્ચક્ખાણ લેનાર મધ્યરાત્રિ (લગભગ ૧૨ વાગ્યા) સુધી પાણી વાપરી શકે છે અને જેટલી વાર પાણી વાપરવું હોય, તેટલી વાર પાણી વાપરી શકે છે. આમાં કાળનું નિયમન-મર્યાદા છે, પણ કેટલી વખતની મર્યાદા નથી.
શંકા- ૫૬૪. સાધુએ કે શ્રાવકે નવકારસહિયંનું પચ્ચક્ખાણ કર્યું હોય અને પછી તિવિહારનું પચ્ચક્ખાણ લઇ લીધું હોય તો, સાંજના તે કયું પચ્ચક્ખાણ લે ?
સમાધાન– પાણાહારનું પચ્ચક્ખાણ લે. કેમ કે તેણે ત્રણ આહારના ત્યાગનું પચ્ચક્ખાણ તો લઇ લીધું છે, કેવળ પાણીના ત્યાગનું પચ્ચક્ખાણ બાકી રહે છે. માટે તે પાણાહારનું પચ્ચક્ખાણ લે, એ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International