Book Title: Shanka Samadhan Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 279
________________ ૨૧૬ શંકા-સમાધાન સમાધાન- મૂળાનાં પાંચેય અંગો ત્યાગ કરવા યોગ્ય છે એવો શાસ્ત્રપાઠ હોવાથી મૂળાનાં પાંદડા અભક્ષ્ય છે, અને પતરવેલિયાના પાંદડા અંગે તેવો કોઈ શાસ્ત્રપાઠ ન હોવાથી અભક્ષ્ય ગણાતા નથી તથા પતરવેલિયાના પાન ભાજી ન હોવાથી લીમડાના પાનની જેમ બારે માસ કલ્પી શકે છે. આમ છતાં વર્તમાન જૈન સંઘમાં ફાગણ ચોમાસથી કાર્તિક ચોમાસી સુધી પતરવેલિયા માટે અભક્ષ્ય તરીકેનો વ્યવહાર છે અને એ વ્યવહાર આપણે પાળવો જ જોઈએ. શંકા- ૫૦૨. જેવી રીતે આદુ અને હળદર વગેરે અનંતકાય હોવા છતાં સુકાયા પછી વાપરી શકાય છે, તેવી રીતે બટેટા આદિ અનંતકાયને સૂકવીને વાપરી શકાય ? સમાધાન– આદુ અને હળદર સુકાયા પછી સૂંઠ અને હળદરનો ઔષધ તરીકે જ ઉપયોગ થાય છે અને ઔષધ જેવો જ ખાવામાં ઉપયોગ થાય છે. પેટ ભરીને સ્વાદથી તે ખાઈ શકાતા નથી માટે તેનો નિષેધ ઔષધ તરીકે નથી કર્યો. તે પણ બીજા ઘણા દોષવાળા ઔષધથી બચવા માટે છે. ત્યારે બટેટા વગેરે અનંતકાયની સૂકવણી ઔષધ નથી, ઔષધની જેમ અલ્પમાત્રામાં એ ખવાતી નથી. પણ જીભના સ્વાદને પોષવા માટે અને પેટ ભરીને ખાઈ શકાય છે. માટે બટેટા આદિની સૂકવણીને ખાવાની છૂટ શાસ્ત્રકારોએ જરાપણ આપી નથી, અરે તે સૂકવણી પણ ખાવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે, શ્રાવકે જાતે આદુ સૂકવીને સૂંઠ ન બનાવવી જોઈએ. તૈયાર સૂંઠનો ઉપયોગ કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. હળદરમાં પણ તેમ સમજી લેવું જોઈએ. શંકા- ૧૦૩. સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય ? સમાધાન– વાપરી શકાય. મગ વગેરે વનસ્પતિકાય રૂપ હોવા છતાં સૂકાઈ ગયેલ હોવાથી પર્વતિથિએ વાપરી શકાય છે. તેમ સાબુદાણા પણ વનસ્પતિકાયમાંથી થતા હોવા છતાં સૂકાઈ ગયેલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320