________________
૬)
શંકા-સમાધાન
-
-
ધજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૫૭. દેરાસર ઉપર ધ્વજારોપણનું પ્રયોજન શું ? તથા ધ્વજારોપણ કરતી વખતે ધ્વજારોપણ કરનારે શું ચિંતવવું ?
સમાધાન- અરિહંત પરમાત્માના ચોત્રીશ અતિશયોમાં એક ઇન્દ્રધ્વજ નામનો અતિશય છે. આ અતિશયના પ્રતીકરૂપે દેરાસર ઉપર ધજા રાખવામાં આવે છે. આ ધજા આપણને એ બોધ આપે છે કે આ જગતમાં એક અરિહંત જ સ્વામી છે. અરિહંત પરમાત્માની આજ્ઞાના પાલનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સર્વ દુઃખોથી મુક્ત બનવા અરિહંતના જ શરણે રહેવું જોઇએ. જે રીતે આ ધ્વજા મંદિર ઉપર લહેરાઈ રહી છે તે રીતે જગતમાં જૈનશાસનની જયપતાકા લહેરાઈ રહો એવી ભાવના ધ્વજારોપણ કરનારે ભાવવી જોઇએ.
શંકા- ૧૫૮. નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ?
સમાધાન– જૂની ઊતરી ગયેલી ધજાનો પણ એક જાતનો વિશિષ્ટ પ્રભાવ હોય છે, માટે છ મહિના સુધી એ ધજાને સાચવીને રાખ્યા બાદ યોગ્ય રીતે એને નદી વગેરે પવિત્ર સ્થળે પધરાવી દેવી જોઇએ. શંકા- ૧પ૯. ધજાને ઘરમાં રાખવાથી શું સમાધિ મળે ?
સમાધાન– આ ધજાના પ્રભાવથી મને અવશ્ય સમાધિની પ્રાપ્તિ થશે, એવી શ્રદ્ધા જેને હોય તેને સમાધિ મળે. એક વિદ્વાને કહ્યું છે કે- મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, જ્યોતિષી, ઔષધ-આટલી વસ્તુઓ ઉપર જેને જેવી શ્રદ્ધા હોય તેને તેવી સિદ્ધિ (ફળ) મળે. આમાં શ્રદ્ધાની મુખ્યતા છે.
શંકા- ૧૬૦. દેરાસરની બાજુમાં જો આપણું ઘર હોય અને આપણા ઘર ઉપર દેરાસરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે ચાલે કે નહિ ?
સમાધાન– ઘર ઉપર દિવસના બીજા ને ત્રીજા પ્રહરમાં જિનમંદિરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે અશુભ છે એમ વાસ્તુ શાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે. આ દોષ નિવારણનો ઉપાય ઘર બદલવું એ જ ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org