________________
જુદા ન પાડી દેવાય, તેની સાવચેતી રાખવી. ૧૩. ખેડુત ને વેપારી - બ્રાહ્મણો ભિક્ષુકો છે. કારીગરો વસવાયા છે. શૂદ્ર
કોમો મજુરો છે. રાજાઓ ચોકીયાતો છે. એટલે-વેપારી અને ખેડુત એ બે જ દાનેશ્વરી અને ઉત્પાદક તથા જવાબદાર પ્રજા છે, તે આર્યપ્રજાનો પ્રાણ છે. તે બેની વચ્ચે ભેદ પાડનારા પ્રયાસોને અટકાવવા પ્રયાસો થાય, તે પ્રજાના પ્રાણ બચાવવા તુલ્ય છે, કેમકે લાખો વર્ષોનો સંબંધ ચાલ્યો આવે છે, તે તુટયા પછી કયાંય સાંધો મળશે
નહી. ૧૪. સોળ સંસ્કાર-જે જ્ઞાતિમાં, સમાજમાં, કે વર્ગમાં પૂર્વ પરથી જે પ્રમાણે
ચાલતાં હોય, તે પ્રમાણે ચાલુ રાખવા, તેમાં સુધારા વધારાની જરૂર
નથી. ૧૫. શ્રાવકો-જન્મતાંની સાથે હવે સુવાવડખાનાઓના પરિચયથી માંડીને, નસેથી
ઉછેર મેળવીને, બાલમંદિરોમાં થઈને, નિશાળમાં દાખલ થતાં જ ભણીને તૈયાર થયા બાદ પણ આધુનિક લાઈબ્રેરીઓ, પુસ્તકો, દેશનેતાઓના ભાષણો, કોલેજોમાં પ્રોફેસરોના ભાષણો, શહેરી જીવનો, છાપાઓમાંની જાહેરાતો, નાટકો, સીનેમાઓ, અને હોટેલો, ચિત્રો અને મુસાફરીઓ, પરદેશી સંસ્કૃતિ પોષકધંધા, મિત્રો અને ક્લબો, પરદેશી મિત્રો અને ક્લબો, પત્રમિત્રપરિષ વિગેરે આધુનિક સાધનોના પરિચયથી દિવસે દિવસે વધુને વધુ વિચારથી અને આચારથી પરદેશી ટાઈપના નમુના બનતા જાય છે; જેટલો એ અંધકારનો તેઓમાં પ્રવેશ થાય છે, તેટલોજ શ્રાવકત્વનો વારસાથી મળેલો પ્રકાશ ઓસરતો જાય છે. માનવપણું, તેમાં આર્યપણું, તેમાં સભ્ય પ્રજાજનપણું, સંસ્કારી પ્રજાજનપણુ; સદ્ગુહસ્થપણું, માર્ગાનુસરિતા, શ્રાદ્ધપણું, અને પછી શ્રાવકપણું, તેમાંયે પરિણત શ્રાવકપણું, આટલી ઉચ્ચહદ શ્રાવકપણાની છે. તેને બદલે આર્ય સંસ્કારનો પ્રકાશ જીવનમાંથી ઉડતો જાય, પછી માનવપણું પણ નહીં જોખમાય તેની શી ખાતરી? આશ્રિતપણું વધતું જાય, તો માનવપણું પણ જોખમાય. માટે આવા સંજોગોમાં હજુ બહુજ આચ્છો અંધકાર પ્રવેશ પામતો આવે છે, તેમાંથી બચી જઈને, શ્રાવક શ્રાવકપણું બચાવી શકે, તેવા માર્ગો અને પ્રયાસો થવા જોઈએ.
સંઘના કે નાતજાતના કે સાર્વજનિક પ્રકારના ફંડ ઉપર શ્રાવક નભવાનો વિચાર સરખોયે ન કરે, પોતાના નાતજાતની પવિત્રતા જાળવીને આખી
26