________________
૧૫૦
પ્રશ્ન: ચક્રવર્તી અને પાંડવ વિગેરેને દેવોએ આભૂષણાદિક આપ્યું છે. તે શું પોતાના ભંડારનું હોય ? કે પોતે ઉત્પન્ન કરેલું હોય ? જે પોતાના ભંડારનું હોય તો, ખીલી વિગેરેનાં ફેરફાર દેખાય છે, તે કેવી રીતે થાય? કેમકે શાશ્વત વસ્તુઓ ફરી જાય નહિ; જે પોતે ઉત્પન્ન કરેલું હોય, તો આ અમારી સાર વસ્તુ છે, એમ વિજ્ઞપ્તિ કરી છે, તે કેવી રીતે કહી હશે?
ઉત્તર :— ચક્રવતી વિગેરેને દેવો આભૂષણાદિક આપે છે. તે ઔદારિક પુદ્ગલોથી બનાવીને અપાય છે. અથવા કોઈકનું પુરાતન કાલનું પણ દ્વારિકાનગરી પેઠે સંભવે છે. ॥ ૩-૫૪૨ ॥
પ્રશ્ન પોસાતી શ્રાવકો સાંજે કાજે લીધા પછી ઉપધિ મુહપત્તિનો આદેશ માંગે છે, અને પ્રભાતે તો પહેલાંજ માંગે છે. તથા પોસહશાલા પ્રમાર્જન-વસતિપ્રમાર્જનનો આદેશ પણ સાંજે જ માંગે છે, તેનું શું કારણ ?
ઉત્તર :— આ બાબતનું કારણ પ્રાયે કરી તેવી સામાચારી છે તે છે. ૩-૫૪૩॥ પ્રશ્ન: વીશ વિહરમાન જિનેશ્વરોનાં અને તેમના માતા-પિતાનાં નામો ક્યા ગ્રંથમાં છે?
-
ઉત્તર :— વીશે વિહરમાન જિનનાં તથા તેમના માતા-પિતાનાં નામો છુટક પાનામાં અને સ્તોત્ર વિગેરેમાં છે, તે જાણવું. ॥ ૩-૫૪૪ ॥
પ્રશ્ન: દેવો ભૂમિથી ચાર અંગુલ છેટે રહે છે, તેથી સ્પર્શતા નથી” એમ કહેવાય છે, તે ક્યાં લખ્યું છે?
ઉત્તર :— દેવો પૃથ્વીતલને કોઈ ઠેકાણે પણ ફરસતા નથી, એમ સંગ્રહણી વિગેરે ટીકાનો અભિપ્રાય છે. ॥ ૩-૫૪૫ ॥
પ્રશ્ન: હાલમાં ભરતક્ષેત્રમાં મનુષ્યો અને તિર્યંચોને જાતિસ્મરણ છે? કે નહિ? જે નથી તો, ક્યારે વિચ્છેદ થયું? તેમજ અવધિજ્ઞાન હાલમાં હોય ? કે નહિ ?
ઉત્તર :— વર્તમાન કાલમાં જાતિસ્મરણનો અને અવધિજ્ઞાનનો વિચ્છેદ શાસ્ત્રમાં કહ્યો નથી. ॥ ૩-૫૪૬ ॥
પ્રશ્ન: તેરમા ગુણઠાણે અને ચૌદમા ગુણઠાણે છેલ્લા બે સમય વર્જીન છ