________________
૨૧૯
પ્રશ્ન. જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના કાર્યમાં વપરાય કે નહિ ?
ઉત્તર :— જ્ઞાનદ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા અક્ષરો ઉપદેશચંતામણિમાં છે, અને જીવદયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વાપરી શકાય નહિ. ॥૩-૮૪૩॥
પ્રશ્નન એક પહોર દિવસ ચઢયા પછી પોસહ લઈ શકાય ? કે નહિ ?
ઉત્તર :— “પહોર દિવસ ચઢી ગયા પછી પોસહ લેવો સુઝે નહિ” એમ પરંપરા છે. ૩-૮૪૪॥
શ્રી સુરવિમલ ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: જિનકલ્પીઓને શું પ્રાયશ્ચિત્ત આવે?
ઉત્તર:—પંચેવ સંપ્નયા હતુ, નાયસુમેળ હિવા બિનવોળ તેસિ પાયત્તિ, અવમં વિત્તસ્સામિ॥ ॥
જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામિએ પાંચ જ સંયતો કહેલા છે, તેઓનું પ્રાયશ્ચિત અનુક્રમે દેખાડીશ.
सामाइयसंजयाणं, पच्छित्ता छेदमूलरहिआ । थेराण जिणाणं पुण, तवमंतं छव्विहं होइ ||२॥
સ્થવિરલ્પમાં સામાયિક સંયતોને છેદ અને મૂલ રહિત આઠ પ્રાયશ્ચિત્ત હોય છે, અને જિનકલ્પમાં સામાયિક સંયતોને તપ સુધીનું છ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય છે.
छेओवट्ठावणिओ, पायच्छित्ता हवंति सव्वेवि ।
थेराण जिणाणं पुण, मूलंतं अट्ठहा होई ॥३॥
સ્થવિરલ્પમાં છેદોપસ્થાપન ચારિત્રને દશે પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનલ્પમાં છેદોસ્થાપનીયને મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત હોય છે.
परिहारविशुद्धिओ, मूलंता अट्ठ होंति पच्छित्ता । थेराण जिणाणं पुण, छव्विह छेयादिवज्जं वा ॥४॥
પરિહાર વિશુદ્ધિમાં વર્તનાર સ્થવિરોને મૂલ સુધી આઠ પ્રાયશ્ચિત્તો હોય છે, અને જિનકલ્પીઓને છેદાદિ વર્જીને છ પ્રાયશ્ચિત્ત હોય છે.