Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 327
________________ ૨૪૦ પ્રશ્ન: ત્રણ કાળવેળાએ પૂજા કરવામાં આવે, તે ત્રિકાળ પૂજા કહેવાય? કે આગળપાછળના વખતમાં ત્રણ વખત કરી હોય, તો પણ તે ત્રિકાળ પૂજ કહેવાય? ઉત્તર:-ત્રણ કાળવેળાએ પૂજા કરાય, તે ત્રિકાળપૂજા કહેવાય છે, અને કારણ હોય તો આગળપાછળના વખતમાં પણ ત્રણ વખત કરી હોય, તે પણ ત્રિકાળપૂજા કહેવાય છે. ૪૯૨૨. પ્રશ્ન: દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિંતર તો થતી નથી. તો તે કરવું? કે નહિ? ઉત્તર:-શાસવિધિ મુજબ તો મૂળવિધિએ ગીત-ગાન વિગેરે રાત્રિએ કરવું સુઝતું નથી, પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે.૪-૯ર૩ ફતેહપુરના શ્રીસંઘના પ્રશ્નોત્તરો. પર: જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય? કે નહિ? . ઉત્તર:-જન્મ મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય, તેમ જાણ્યું નથી. ૪-૯૨૪ પ્રશ્ન: દેવપૂજા અવસરે તિલક એટલે ચાંદલો કરાય? કે નહિ? ઉત્તર:-આપણા ગચ્છમાં દેવપૂજા વખતે ચાંદલો કરવાનો નિષેધ જાણ્યો નથી.૪૯૨૫ા પ્રશ્ન: શ્રાવકે કરેલા સ્તુતિ-સ્તોત્રો મંડલીમાં કહેવા કહ્યું? કે નહિ? ઉત્તર:-કલ્પ છે. (આ પ્રશ્ર આચાર્ય ભગવંતોએ જે શ્રાવકોની સ્તુતિ-સ્તોત્રની રચના પ્રમાણ કરી ક્રિયામાં બોલવાની છુટ આપી હોય; તેવા સ્તુતિ-સ્તોત્રો મંડલીમાં કહી શકાય છે, એ બાબત સૂચવતો લાગે છે.) ૪૯૨૬ પ્રશ્ન: દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અજમો અને મધુર અજમો વાપરવો ઘે? કે નહિ? ઉત્તર:-દુવિહારમાં લિંબુના પટ વિનાનો ખારો અથવા મધુર અજમો વાપરવો ધે છે..૪૯૨૭ના

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366