Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 350
________________ ૨૬૩ પ્રશ્ન: વચ્છરીના દિવસે સોપારી સહિત નાણાની પ્રભાવના અપાય ? કે નહિ ? ઉત્તર :~ સંવચ્છરી દિને સોપારી સહિત કે રહિત પ્રભાવના આપી શકાય છે, પછી તો જે ગામમાં જે રીતે હોય, તે મુજબ વર્તવું. I૪-૯૯૮॥ મેદિનીબંગના શ્રી સંઘના પ્રશ્નોત્તરો. પ્રશ્ન: પક્ષીમાં ૧૨ લોગસ્સ, ચોમાસીમાં ૨૦ અને સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે, તેનું શું કારણ? ઉત્તર: —પક્ષી વિગેરેમાં જે કાઉસ્સગ્ગ કરાય છે, તે પ્રતિક્રમણ કરનારાઓને જે અતિચારની શુદ્ધિ થઈ ન હોય, તે અતિચારની શુદ્ધિ માટે કરાય છે, અને દરરોજના પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગની સંખ્યાના નિયમમાં તો આજ્ઞા પ્રમાણ છે. ૫૪-૯૯૯॥ પ્રશ્ન: વીરભગવાન સહિત હીરસૂરીશ્વર મહારાજની પ્રતિમા પાસે જે દેવવંદન કરાય, તે વાસક્ષેપ કરીને કરાય ? કે એમને એમ કરાય ? ઉત્તર :— ગુરુપ્રતિમા પાસે દેવ વાંદવા કલ્પે નહિ, અને જો તીર્થંકરની પ્રતિમા પટ્ટ વિગેરેમાં આલેખેલી હોય, તો વાસક્ષેપ નાંખીનેજ તેની પાસે દેવ વાંદવા સૂઝે છે. ૪-૧૦૦૦ ॥ પ્રશ્ન: ત્રણે ચોમાસીની અઠ્ઠાઈઓ ક્યાંથી બેસે છે? - ઉત્તર :— સાતમથી બેસે છે, પરંતુ પૂનમનો દિવસ તો પતિથિ હોવાથી પળાય 9.118-900911 અર્સ: વીસ સ્થાનક તપ, અષ્ટકર્મ સૂદનતપ, અને આયંબિલ વર્ધમાન તપમાં અસાયના ત્રણ દિવસ ગણાય ? કે નહિ ? ઉત્તર :~ વીસસ્થાનક તપ અને કર્મસૂદન તપમાં અસાયના ત્રણ દિવસ એટલે ચૈત્ર આસો માસ સંબંધી ૭-૮-૯ ગણતરીમાં આવે નહિ. આયંબિલ વર્ધમાન તપમાં તે ત્રણ દિવસ ગણતરીમાં આવે છે, એમ પરંપરા છે. ૫૪-૧૦૦૨॥ પ્રશ્ન: આણંદવિમલસૂરીશ્વર મહારાજાએ કરેલ આઠ કર્મનો તપ જે ઉપવાસથી

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366