Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 314
________________ ૨૨૭. પ્રશ્ન: છાસિક-વીસ-વે તિબ્લેખr fછા પાdો. नवकार अणणुपुव्वीगुणणे य तयं खणद्धेणं॥१॥ તીવ્ર છમાસિ તપ તથા વાર્ષિક તપે કરી જે પાપ ક્ષય પામે,. તે પાપ નવકાર અનાનુપૂર્વીએ ગણવાથી અડધા સણમાં ચાલ્યું જાય છે.” આ ગાથા કયા ગ્રંથમાં છે? ઉત્તર:- આ ગાથા શ્રી જિનકીર્તિસૂરિએ રચેલ અનાનુપૂર્વી ગણવાનું સ્વરૂપ જગાવનાર નમસ્કાર સ્તવમાં છે..૪-૮૭૩ પ્રશ્ન: તીર્થકરો કેવલિસમુઘાત કરે? કે નહિ? ઉત્તરઃ-ગાગસ્થાનકમારોહ ગ્રંથ અનુસાર તીર્થકર ભગવંતો કેવલિસમુદ્યાત કરે છે, કેમકે તેઓને અવશ્ય છ માસથી અધિક આયુષ્ય હોય ત્યારે કેવલજ્ઞાન ઉપજે છે. ગુણસ્થાનકમારોહ ગ્રંથમાં કહ્યું છે કે જે મનુષ્ય છ માસથી અધિક આયુષ્ય બાકી હોય ત્યારે કેવલજ્ઞાનને પામે છે તે (અવશ્ય) સમુદ્દઘાત કરે છે, બીજાઓ સમુદ્યાત કરે કે ન પણ કરે” અને પન્નવણા વિગેરે ગ્રંથો મુજબ-“જે કેવલીને આયુષ્ય કરતાં વેદનીયાદિ કમોં અધિક હોય, તે કરે છે, બીજા કરતા નથી.”૪-૮૭૪ પ્રશ્ન: જેમ ચૌદ પૂર્વધરો અથવા દશ અને નવ પૂર્વધરોનાં લખાણ ગ્રંથોમાં જોવામાં આવે છે, તેમ બે પૂર્વધર અથવા ત્રણ, ચાર, પાંચ પૂર્વધારો હોય? કે નહિ? ઉત્તર:-જીતકલ્પસૂત્ર ટીકા વિગેરેમાં “આચારપ્રકલ્પથી માંડી આઠ પૂર્વધરો સુધી સુતવ્યવહારી કહેલ છે,” તેથી એક, બે વિગેરે પૂન ધારણ કરનારા પણ હોય છે, એમ જણાય છે..૪-૮૭૫ * કોઈક કહે છે કે-“શ્રાવકને ગ્રહણશિક્ષા કહી છે, તેમાં ઉત્કૃષ્ટથી છ જીવનિકાય અધ્યયન સુધી સૂત્ર અને અર્થ ભણી શકે, તથા પિંડેષાગા અધ્યયનનો અર્થ સાંભળી શકે. હમણાં તો અંગ, ઉપાંગ વિગેરે સૂત્રોના અર્થો સંભળાવાય છે, તે કયે ઠેકાણે કહ્યું છે? ઉત્તર:-વ્યાખ્યાન વિગેરેમાં મુખ્ય વૃત્તિએ સાધુઓને ઉદેશીને સંભળાવાતા અંગ, ઉપાંગ સૂત્રાર્થો સાધુઓની પાછળ બેઠેલા શ્રાવકો વિગેરે પણ સાંભળે છે, તેથી કાંઈ શંકા કરવી નહિ. અને જે કેવળ શ્રાવકોને સિદ્ધાંતોનું શ્રવણ કરાવાય છે, તે તો કારણિક જાણવું. ૪-૮૭૬ છે

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366