________________
૧૬૬
છે. માટે આ બન્નેયમાં પ્રમાણ શું?
ઉત્તર :— ચુડેલના નહિ. ॥૩-૬૧૯ ||
વિષયમાં મતાંતર જાણવું. અને મતાંતરમાં મુંઝાવું
પ્રશ્ન: રોગી પુરુષને ત્રણ પ્રકારના આહારના ત્યાગ રૂપ અણસણ કરાવાય છે, તે ઉચ્ચરાવવાનો શો વિધિ છે?
ઉત્તર :— પહેલા અમુક વખત સુધી કરેલ તિવિહાર, ચોવિહાર પચ્ચક્ખાણવાળા પુરુષને સાગારિક અણસણ ખડુ મે દુખ્ત પમાઓ આ ગાથાના ઉચ્ચારપૂર્વક કરાવાય છે. ॥ ૩-૬૨૦ ॥
પ્રશ્ન: સૂક્ષ્મ નિગોદથી નીકળેલો જીવ ફરી તેમાં જાય ? કે નહિ ?
ઉત્તર :— સૂક્ષ્મ નિગોદથી નીકળેલ જીવ ફરી પણ સૂક્ષ્મ નિગોદમાં જઈ શકે છે. ॥ ૩-૬૨૧ ॥
પ્રશ્ન: ઉપાશ્રયમાં પેસતો છુટો શ્રાવક નિસિહી અને નીકળતો આવસહી કહે? કે નહિ ?
ઉત્તર :— સામાયિક વિગેરે વ્રત વિનાનો શ્રાવક પેસતાં નિસિહી કહે, પણ નીકળતાં આવસહી કહે નહિ. ॥ ૩-૬૨૨ ॥
પ્રશ્ન: જિનમંદિરમાંથી નીકળતા સાધુઓ અને શ્રાવકોએ આવસહી કહેવી?
કે નહિ ?
ઉત્તર :— સાધુઓએ આવસ્સહી કહેવી, પણ શ્રાવકોથી કહેવાય નહિ. ॥ ૩-૬૨૩॥ પ્રશ્ન: અણિમા વિગેરે આઠ મહા સિદ્ધિઓ કઈ લબ્ધિમાં સમાય છે? અને મહાવ્રતી કે દેશવિરતિ કે મિથ્યાદષ્ટિઓને સંભવે ? કે નહિ ?
ઉત્તર :— અણિમા વગેરે સિદ્ધિઓ વૈક્રિય લબ્ધિમાં અંતર્ગત છે અને તે મિથ્યાત્વીઓ અને સમકિતીઓને સંભવે છે. ૩-૬૨૪॥
પ્રશ્ન: વીરભગવંત દેશના આપી, દેવછંદામાં પધારે, ત્યારે ૧૧ ગણધરોમાં ગૌતમગણધર જ મોટા હોવાથી દેશના આપે? કે પટ્ટધારી હોવાથી સુધર્માસ્વામી દેશના આપે ? કે કોઈ બીજા ગણધરદેવ આપે ?
ઉત્તર :—દીક્ષાએ મોટા હોવાથી ગૌતમસ્વામી હાજર હોય, તો તે જ દેશના આપે, અને હાજર ન હોય, તો હાજરમાંથી જે મોટા હોય, તે આપે છે. ૫૩-૬૨૫॥