________________
૧૯૬
પ્રશ્ન: આચારાંગસૂત્રના લોકસાર અધ્યયનના પાંચમા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં
હતોપનાવાર્થે કાવ્ય આ સૂત્રની ટીકામાં ધર્મને આશ્રયીને ચૌભંગી કહેલી છે. તેમાં પ્રત્યેકબુદ્ધો તો ઉભયનો અભાવ હોવાથી ચોથા ભંગમાં કહ્યા,તો આ પ્રકારે તમામ પ્રત્યેક બુદ્ધો ધર્મોપદેશ આપે નહિ એમ કરે છે. તે કેવી રીતે ઘટે? કેમકે ત્રષિમંડલસૂત્રમાં पत्तेअबुद्धसाहू, नमिमो जे भासिउं सिवं पत्ता। पणयालीसं इसिभासियाई अज्झयणपवराई॥१॥
“ અમે પ્રત્યેકબુદ્ધ સાધુઓને નમસ્કાર કરીએ છીએ કે જેઓ ૪૫ ઋષિભાષિત અધ્યયનોનું પ્રવચન કરીને મોક્ષમાં પહોંચેલા છે.”
આ ગાળામાં પ્રત્યેકબુદ્ધોને અધ્યયનોનું પ્રવચન કરવાનું જણાવ્યું છે. માટે આમાં તત્ત્વ શું છે? ઉત્તર-આચારાંગટીકાઅનુસાર પ્રત્યેકબુદ્ધો ઉપદેશ આપતા નથી, એમ નિર્ણય
છે. અને અષિમંડલમાં તો તેઓને અધ્યયનરચવારૂપ ધર્મોપદેશ બતાવેલ છે. માટે કાંઈપણ અઘટિત નથી. ૩-૭૩૨ . : સ્વપક્ષી અથવા પરપક્ષી શ્રાવકોએ કરેલી (= રચેલી) સ%ાય કિયાની
અંદર મંડલીમાં આપણા શ્રાવકોને કલ્પે? કે નહિ? ઉત્તર:-ગૃહસ્થ રચેલી સક્ઝાય સાધુઓને અને શ્રાવકોને ક્રિયાની અંદર કામ
લાગી શકે નહિ. ૩-૭૩૩ પ્રશ્ન: પરપક્ષી વેશધારીએ કરેલા આધુનિક સ્તુતિ સ્તોત્રો સઝાય વિગેરે સ્વપક્ષી
સાધુઓને ક્લિાની અંદર મંડલીમાં કહેવાય, તો કલ્પે? કે નહિ? ઉત્તર:- આધુનિક પરપક્ષીએ કરેલા સ્તુતિ, સ્તોત્ર સઝાય વિગેરે ક્રિયામાં
કહેવા ક્યું નહિ. ૩-૭૩૪ પ્રશ્ન: સાધુઓને અને શ્રાવકોને કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં ચઉસરણ
પયગ્નો ગણવો કલ્પે? કે નહિ? ઉત્તર:-કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં પણ ચઉસરણ પયનો
ગણવો કલ્પે છે. ૩-૭૩૫ પ્રશ્ન: અવધિજ્ઞાનીઓ અને મન:પર્યવજ્ઞાનીઓ કેટલા ભવો કરે? ઉત્તર:–ભગવતીસૂત્ર આઠમાશતકના બીજા ઉસ્સામાં કહ્યું છે કે
आभिणिबोहियनाणिस्स णं भंते! अंतरं कालओ केवञ्चिरं होइ? गोयमा!