________________
આ દર્શન મેહનીકમને ઉદય તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિ વેશિક, અનાગિક અને સાંશયિક એમ પાંચ ભેદ પડે છે. ૧ અનાદિ કાળથી આ જીવને સત્ય વસ્તુનું ભાન નથી અને તે ને લીધે જ તે સત્ય વસ્તુના સ્વાનુભવથી વેગળે રહેલો છે. આ અનાગિક મિથ્યાત્વ પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એક ઇંદ્રિયવાળામાં તથા વિકસેંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયમાં હોય છે, કેમકે તેને તેવી મિથ્યા પ્રવૃત્તિમાં કેઈએ પ્રેરણા કરી નથી એટલે તેમાં તે સ્વાભાવિક છે. જે
જીવ કઈ દિવસ ઉ થયો નથી તેને પડવાની વાત ક્યાં રહી? ૨. સત્ય તત્વને નહિ જાણનારા ગુરૂએ કઈને કોઈ માર્ગે પ્રેરણા કરીને આ જીવને ધર્મ સંબંધી મિથ્યા પ્રવૃત્તિ કરાવી હોય છે. આ પ્રવૃતિ આત્માના શુદ્ધ સ્વરૂપના માર્ગને સરલ કરી આપવાને બદલે ઉલટે વધારે મુશ્કેલી અને ગુંચવણ ભર્યો કરી આપતી હોવાથી વિપરીત પ્રવૃત્તિ કહેવાય છે. ઉત્તર દિશા તરફ જવાની જરૂર છતાં દક્ષિણ તરફને માર્ગ તે ગુરૂઓએ બતાવેલ હોવાથી તે જીવનું ઈચ્છિત સ્થાન વિશેષ દૂરને દૂર જાય છે, આવી. પ્રવૃત્તિવાળા માર્ગને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. આ માર્ગમાં આત્મા કે પરમાત્મા પ્રાપ્ત કરે તે ધ્યેય હતું નથી પણ પાંચ ઈદ્રિના વિષય, લક્ષમી, માન, અધિકાર, રાજ્યની પ્રાપ્તિ અને દેવાદિની પદવી મેળવવાની મુખ્યતા