________________
૧૦૫
નથી. જીવ પિતાનાં અવળાં કર્તવ્યથી બંધાય છે અને પિતાનાજ સવળા કર્તવ્યથી બંધનમાંથી છુટે છે.
પ્રમાદથી જીવ બંધાય છે. પિતાનામાં પ્રમાદને રહેવાની જગ્યા આપનાર જીવ જગતમાં સર્વત્ર પાપિ વડે બંધાય છે તેજ પ્રમાદને પિતાની બાહાર કાઢયાથી–પ્રમાદના દેષથી મુક્ત થતાં જીવ બંધનથી મુક્ત થાય છે. મદ અથવા મદ્ય-દારૂ, પાંચ ઈન્દ્રિયાના વિષયે, ચાર કષાય, નિદ્રા અને વિકથા, સ્ત્રી દેશ ભજન અને રાજની કથા કરવા રૂપ વિકથા એ પ્રમાદ કહેવાય છે. આ પ્રમાદમાં જીવન પસાર કરનાર જીવ જ્યાં જાય છે ત્યાં કર્મોથી બંધાય છે. તેજ જીવ જ્યારે પ્રમાદને ત્યાગ કરી તે પ્રમાદની વિધી અપ્રમત્ત દશાને–આત્માની જાગૃત દશાને પોતાના નિવાસનું સ્થાન બનાવે છે સદા આત્માની જાગૃત દશા રૂપ અપ્રમત્ત દશામાં રહે છે ત્યારે જીવ જે જે પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિના રૂપમાં પલટાઈને કર્મનાં બંધને તોડી નાખે છે.
આત્મતીર્થમાં સ્નાન કરે. આત્મારૂપિ નિર્મળ પવિત્ર તીર્થને મૂકીને જે જીવે આત્માની શુદ્ધિને માટે અન્ય જળાશયાદિ તીર્થમાં સ્નાન કરે છે, હું માનું છું કે તે મલીન મનુષ્ય સરોવરને ત્યાગ