________________
૧૬૭
અલગ થયેલું સેાનું શુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ ક રૂપ મળ દૂર થવાથી આત્મા શુદ્ધ થાય છે.
આકાશમાં સધ્યા વેળાએ ગધનગરના જેવા આકારમાં ગાઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભાગાને મુગ્ધ બુધ્ધિવાળા–અજ્ઞાની જીવા વાસ્તવિક અને સ્થિર સમજે છે.
સંસાર.
આ સસાર ચિત્તને વિભ્રમ ઉત્પન્ન કરનાર છે, તીનરાગદ્વેષાદિને ઉપન્ન કરવાનું કારણ છે મહાન્ બ્યાધિથી ભરપૂર છે. વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપન્ન કરનાર છે. અનાદિ છે અને કર્માનું કારણ છે. તેમાં એકેદ્રિયાદ્રિ વિવિધ પર્યાય। ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. જન્મ આપનાર સ વિકારાના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને બધાતા નથી, સિદ્ધ થયા પછી કરીને અસિદ્ધ થતા નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતા નથી. જેમ ખીજને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફ્રી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તા પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતાજ પ્રાપ્ત થાય છે.
અન્ય કાર્ય માં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ