________________
૧૭૬
નથી. જેમ નિર્મળ વેત ફાટિકને પુપિની ઉપાધિથી ઉત્પન્ન થયેલ લાલ પીળા કાળા આદિ વિકાર મનાય છે, તાંત્વિક રીતે તે વિકારે સ્ફટિકના નથી તેમ જીવને કમની ઉપાધિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષાદિ પરિણમે છે, પણ તાત્વિક રીતે તે જીવના પરિણામ નથી. જેમ માટીના પિંડ વડે કુંભ, સરાવ આદિ ઉત્પન્ન થાય છે તેમ બધા કષાયાદિ પરિણામે ચેતનાના નિમિત્ત કરી કર્મો વડે ઉત્પન્ન થાય છે. ઘડાની ઉત્પત્તિમાં માટી ઉપાદાન–મૂલ કારણ છે અને કુંભાર, ચાક, દંડ, દેરી આદિ નિમિત્તે કારણે છે તેમ આત્મામાં ક્રોધાદિની ઉત્પતિ મનાય છે. તેમાં ઉપાદાન કારણરૂપ તે કર્મ છે અને ચેતના-આત્મા નિમિત્ત કારણ છે માટે ક્રોધાદિ. આત્માનું કાર્ય નથી પણ કર્મોનું કાર્ય છે.
કષાય એટલે શું ? પાણીમાં જેમ કલ-તરંગ ઉત્પન્ન થાય છે તેમ કમના ઉદયથી આત્મામાં જે મલીન પરિણામ થાય છે તે કષાય છે. આ મલીનતાને અભાવ થવાથી કર્મને પણ અભાવ થાય છે. બીજ અને અંકુરાની માફક એકને નાશ થવાથી બીજાને નાશ થાય છે. જેમ જેમ સેનાને મળ દૂર થાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની શુદ્ધતા પ્રગટતી જાય છે. તેમ આ પરિણામી જીવમાંથી મલીનતાને અભાવ થતું જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેના પરિણામે શુદ્ધ થતાં જાય છે. મેલ