________________
૧૭૪
સ્ફટિક મણિની પાસે લાલ પીળું કે કાળું જેવું જેવું પુષ્પ રાખ્યું હોય તે તે તે મણિ દેખાય છે, તેમ આત્માની પાસે જે જે શુભાશુભ નિમિત્તે રાખવામાં આવે છે તેવા તેવા પરિણામે આત્મા પરિણમે છે. આ નિમિત્તે બે પ્રકારનાં છે, એક બાહ્ય નિમિત્ત, બીજું અંતરંગ નિમિત્ત; બાહા નિમિત્તરૂપે પાંચ ઇન્દ્રિયના શુભાશુભ વિષય છે. ખરે વૈરાગ્ય જાગૃત થયા વિના આ નિમિત્તે દેખીને આત્મા શુભાશુભ પરિણમે કરે છે, શુભાશુભ પરિણામે ઉત્તરોત્તર બીજા પરિણામે ઉત્પન્ન કરે છે. શુભ પરિણામ રાગનું કારણ બને છે. રાગ પુન્યનું કારણ થાય છે. અશુભ પરિણામ રાગદ્વેષ મહ અજ્ઞાન અને પાપનું કારણ બને છે. આમાટે જ જ્યાં સુધી વિશ્વના તમામ પદાર્થો ઉપરથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આત્મજાગૃતિના બળે પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓ તેવાં નિમિત્તોથી દૂર રહેવા વારંવાર ભલામણે કરે છે, કેમકે સત્તામાં બીજ પડેલાં છે તે દૂર ન થાય ત્યાં સુધી બા નિમિત્તે તેને તેના માર્ગમાંથી ચલિત કર્યા વિના રહેતાં નથી.
બીજ અત્યંતર નિમિત્તમાં સત્તામાં રહેલાં કર્મને ઉદય થાય છે તે છે. એટલે સત્તાગત કર્ણી ઉદયમાં આવીને નિમિત્તકારણ રૂપ થાય છે. તેમાંથી રાગ દ્વેષ મેહ અજ્ઞાન પુન્ય પાપ વિગેરે અનેક ભાવની વૃદ્ધિ કે હાનિ થયા કરે છે.
બાહારનાં કેટલાંક સારાં નિમિત્તથી વૈરાગ્ય જાગૃત