________________
-ગરૂપ માયામાં મોહિત થઈને આગળ વધતાં અટકી પડે છે.
પુન્ય પણ સંસારમાં રખડાવે છે.. ચંદનથી ઉપ્તન્ન થયેલે અગ્નિ પણ શું વસ્તુને બાળ નથી? અર્થાત્ બાળે છે. તેમ પુન્યથી પણ પ્રાપ્ત થયેલા ભેગો દુખની પરંપરાને જ આપે છે. વિપત્તિની બહેનપણના સરખી આ લક્ષમી વિદ્વાનને આનંદને માટે થતી નથી, તેમ પાપના મિત્ર સમાન આ ભેગો પણ મનુષ્યને કલ્યાણકારી-સુખદાઈ થતા નથી. સમ્યકજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે ભેગોનું નિર્ગુણપણું–નીરસપણે જ્યારે મનુષ્યના જવામાંઅનુભવવામાં આવે છે ત્યારે જીવને પરમાર્થિકપણે ભેગ અને સંસારથી નિવેદ-વૈરાગ્ય પ્રગટે છે. અનેક દુઃખોના બીજ તુલ્ય મિથ્યા જ્ઞાનને નાશ થવા પછી મેક્ષના પરમગુણે જાણવામાં આવતાં મોક્ષ તરફ પરમ ભક્તિ ભાવ જીવને પ્રગટે છે. માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા ઈચ્છતા જીવે પ્રથમ તાવિક રીતે આ મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કર. - સૂર્ય જેમ અંધકાર વડે લેપતે નથી તેમ જ્ઞાની પણ પાપ વડે લેખાતે નથી, લોખંડી બખતર પહેરનારે જેમ બાણ વડે વિંધાતા નથી તેમ નિર્મળ જ્ઞાન પણ વિષયો વડે વિંધાતું નથી –નાશ પામતું નથી, જ્ઞાન વડે ઉત્તમ પ્રવૃત્તિ કરી શકાય છે, મોહરૂપ અંધકારને હઠાવી શકાય