Book Title: Mahavir Tattva Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykamalkeshar Granthmala

View full book text
Previous | Next

Page 147
________________ - ૧૩ છે. પ્રખર તાપવાળે, જીવજંતુના ઉપદ્રવવાળો, અને તેજ ધ્યાનમાં વિધરૂપ દેશ હોય તેને પણ ત્યાગ કરે જઈએ. આ બધાં સાધનોની મદદથી સાધકને તત્વદર્શન થાય છે. તત્વદર્શનથી તેનામાં કેઈ અપૂર્વ ઉત્સાહ સાથે બળ પ્રગટે છે, તેથી શ્રેણિબંધ પરિણામની ધારા-વીર્યને ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધાં સાધને શાનનાં કારણે છે. આગમન જ્ઞાન વડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી પ્રધાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તિર્ણ બનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનને અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મ ધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ તે વિદ્વતાનું પરમ ફળ છે. જે આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ નજ હાય પણ કેવળ- સર્વશાસ્ત્રો ભણવાં અને બીજાને ઉપદેશ કરે તેટલામાં જ તે વિદ્વાન અટકી જાય તે જરૂર સમજવું કે આત્મધ્યાન વિના આ શાસ્ત્રનું જ્ઞાન એ કેવળ સંસારજ છે સંસારનું જ કારણ છે. જેમ મૂઢચિત્તવાળા અ. જ્ઞાની જેને પુત્ર, સી, ધન, ધાન્યાદિ એ સંસાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પંડીતને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે. રૂપાંતરે તે પણ એક સંસા૨જ છે. આ કર્મ ભૂમિમાં મનુષ્યપણાસાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન રૂપ બીજને મેળવીને જે છ આત્મધ્યાન રૂપ છે. તીની તરફ પ્રવૃત્તિ કરતા નથી તેઓ અપબધિવાળા બાળ જીવેજ છે એમ સમજવું.

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204