________________
૧૩
અહા! શું મોહનું જોર છે ! માછલીઓને પકડવાના કાંટા ઉપર રહેલ માંસના ટુકડા તરફ લલચાઈ રહેલી માછલીની માફક, આ વિશ્વના વિષય સુખમાંથી છુટા થવું તે મુશ્કેલી ભરેલું કામ છે. આ ભોગ સુખમાં આશક્ત થયેલા
જીવો ઉત્તમ ધ્યાનને પણ ત્યાગ કરે છે અને ભાવી અ રૂપ વિષયે તરફ ઘસડાતા જાય છે આવા મેહને ધિક્કાર છે.
આત્મતત્ત્વને નહિ જાણનારા, વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા, હિત અહિતના વિવેક વિના અંધ જેવા જણાતા અને વર્તમાન કાળને જ જોનારા, ભવિષ્યને વિચાર કે દરકાર નહિ કરનારા જીવે ભાવિકાળમાં અનેક યાતનાઓ-પીડાએ સહન કરતા રહે છે. અહા! આ આધિ માનસીક પીડાઓ, વ્યાધિ શારીરિક પીડાઓ, વૃધ્ધાવસ્થા, જન્મ, મરણ અને શોકાદિ ઉપદ્રવવાળા ભીષણ સંસાર તરફ એ મનુષ્યો ! જરા નજરતે કરો, એ સંસાર કેટલાં કેટલાં દુઃખોથી ભરપુર છે, છતાં પણ તે મહાધિન છે! તમે તેનાથી કેમ ઉગ નથી પામતા? તમને વૈરાગ્ય પ્રગટ નથી એ મહાન ખેદની વાત છે.
પામા–-ખસના રોગ વાળા મનુષ્યો ખરજ ખણવામાં સુખમાને છે પણ પરિણામે અશાંતિ વધે છે, તેમ કેટલા એક મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે, પણ પરિણામે તે વિ. પરિત પ્રવૃત્તિ તેમને દુખદાઈ નિવડે છે.