________________
૧૪૩.
સુધા–ભુખ તેમને પોતાના નિયમિત નિયમેથી ચલાયમાન ન કરી શકે માટે એક ઉપવાસથી લઈ છ મહીનાના ઉપવાસ થાય ત્યાં સુધી સુધાથી ચલાયમાન ન થાય તેટલી તૈિયારી રાખે છે
બીજી સત્વભાવનાની તુલના કરે છે. આ તુલનામાં તેઓ ભય તથા નિદ્રાઉપર કાબુ મેળવે છે. આ માટે પ્રથમ પિતે રહેતા હોય તે મુકામમાં ઉભા ઉભા કાર્યોત્સર્ગ કરે છે. પછી ઉપાશ્રયબાહાર ધ્યાનસ્થિતિમાં ઉભા રહે છે. પછી ચારમાર્ગવાળા ચેકમાં ઉભા રહી કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરે છે. ત્યાર પછી નિર્જન પ્રદેશવાળાં શુન્ય ઘરમાં કાર્યો ત્સર્ગ કરે છે અને છેવટે મશાને આદિભવાળી ભૂમિમાં નિર્ભયપણે કાર્યોત્સર્ગમાં રહી ધ્યાન કરે છે. આ પ્રમાણે નિદ્રાને જય અને પિતાના સત્ત્વને ઉત્તેજીત કરનારી સત્ય ભાવનાની તુલના કરે છે અને પોતાને એમ લાગે કે હવે નિદ્રા, ભય હેરાન કરે તેમ નથી ત્યાર પછી તેઓ જંગઅલમાં રહેવાની શરૂયાત કરે છે. ૨ :
ત્રીજી તેઓ સૂત્ર ભાવનાને કેળવે છે. સૂત્રનું-સિદ્ધાંતનું જ્ઞાન તે એટલું બધું દૃઢ કરે છે કે લાંબો વખત ગણવાડમાં ન આવે તે પણ પોતાના નામની માફક તે ભૂલતા નથી, સૂત્રનું જ્યારે તેઓ પરાવર્તન કરે છે–ગણે છે ત્યારે તે ઉપરથી કાળનું માપ કાઢી શકે છે કે આટલું ગણતાં આટલા કલાકે થાય છે અને તે પ્રમાણે જ વખત થયે હેય છે.