________________
ખારા પાણીને દૂર કરી ખેતરમાં મીઠા પાણીને યોગ કરવાથી બીજ જેવીરીતે ઉગી નીકળે છે તેમ તત્વજ્ઞાન. સાંભળવાથી, તત્વજ્ઞાન રૂ૫ મીઠા પાણીના સીંચનથી ધ્યાન. રૂ૫ મીઠાં ફળને ઉદય વૃધ્ધિ પામે છે. ખારા પાણી સરખી ભેગ બુધિ-વિષ તરફની લાગણીને નિરંતર ત્યાગ કરે અને મધુર પાણી સમાન તત્ત્વજ્ઞાનનું શ્રવણ કરવા રૂ૫ સિંચન કરવું, એટલે બેધિબીજ વૃદ્ધિ પામી મોક્ષ રૂ૫ ફળ આપશે. આજ આપણે છેવટનું ધ્યેય અને. પ્રાપ્તવ્ય છે, કુતર્કો અને વિતર્કો એ મનના વ્યાધિ છે, ધ્યાનના તે શત્રુ છે, જ્ઞાનને અટકાવનાર છે, શાંતિના વિરોધી છે, શ્રદ્ધાનો નાશ કરનાર છે, અભિમાનને પિષણ આપનાર છે, માટે મોક્ષની ઈચ્છાવાળા છએ કુતર્કો અને વિતર્કોમાં મિથ્યા અભિનિવેશ—કદાગ્રહ રાખે યોગ્ય નથી પણ મેલ મહેલમાં પ્રવેશ કરાવનાર આત્મા તવ તરફ સદ્ભાવ રાખ યોગ્ય છે.
જેઓ પરમ શુધ્ધ અને બુદ્ધ આશયવાળા છે આદર પુર્વક નિરંતર આ પ્રમાણે શુધ્ધ ચૈતન્યનું ચિંતન કરે. છે, તેઓ દુઃખના સ્થાન રૂપ કર્મને અને ભવને ત્યાગ કરીને નિરૂપમ, અખંડ, અનંત, અતીન્દ્રિય અને અવિનાશી આ-- ત્મિક સુખ પામી સદા આનંદમય સ્થિતિ પામે છે.
ઈતિ મોક્ષાધિકાર સમાપ્ત,