SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩ છે. પ્રખર તાપવાળે, જીવજંતુના ઉપદ્રવવાળો, અને તેજ ધ્યાનમાં વિધરૂપ દેશ હોય તેને પણ ત્યાગ કરે જઈએ. આ બધાં સાધનોની મદદથી સાધકને તત્વદર્શન થાય છે. તત્વદર્શનથી તેનામાં કેઈ અપૂર્વ ઉત્સાહ સાથે બળ પ્રગટે છે, તેથી શ્રેણિબંધ પરિણામની ધારા-વીર્યને ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધાં સાધને શાનનાં કારણે છે. આગમન જ્ઞાન વડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી પ્રધાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તિર્ણ બનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનને અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મ ધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ તે વિદ્વતાનું પરમ ફળ છે. જે આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ નજ હાય પણ કેવળ- સર્વશાસ્ત્રો ભણવાં અને બીજાને ઉપદેશ કરે તેટલામાં જ તે વિદ્વાન અટકી જાય તે જરૂર સમજવું કે આત્મધ્યાન વિના આ શાસ્ત્રનું જ્ઞાન એ કેવળ સંસારજ છે સંસારનું જ કારણ છે. જેમ મૂઢચિત્તવાળા અ. જ્ઞાની જેને પુત્ર, સી, ધન, ધાન્યાદિ એ સંસાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પંડીતને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે. રૂપાંતરે તે પણ એક સંસા૨જ છે. આ કર્મ ભૂમિમાં મનુષ્યપણાસાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન રૂપ બીજને મેળવીને જે છ આત્મધ્યાન રૂપ છે. તીની તરફ પ્રવૃત્તિ કરતા નથી તેઓ અપબધિવાળા બાળ જીવેજ છે એમ સમજવું.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy