________________
૧૨૧
સમૂહ છે પણ દેશકાળાદિ પ્રતિબંધક નથી તેમ વિશ્વના સર્વ પદાર્થોને આત્મા જાણી શકે છે તેમાં દેશકાળાદિ પ્રતિબંધક નથી પણ જ્ઞાનાવરણ કર્મ છે તેજ પ્રતિબંધક છે.
જ્ઞાન વિશેષ પદાર્થોને પણ જાણી શકે છે.
જેમ સામાન્ય પદાર્થને સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે તેમ વિશેષ પદાર્થને પણ સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે એટલે વિશેષ પદાર્થનું પણ જ્ઞાન થઈ શકે છે. સાક્ષાત્ જ્ઞાન જે કેવલ જ્ઞાન વિના પદાર્થના વિશેષ (પૂર્ણ) સ્વભાવનું જ્ઞાન થઈ શકતું નથી. આત્મા જ્ઞાન સ્વભાવરૂપ હોવાથી તે સર્વજ્ઞ અને સર્વદશી છે, જે આત્માને સવેજ્ઞ અને સર્વ દર્શ માનવામાં ન આવે તો તેનામાં જ્ઞાન સ્વભાવતા સંભવી શકે નહિં.
પદાર્થમાં બે પ્રકાર છે. એક સામાન્ય બીજે વિશેષ. ઘડે કહેવાથી સામાન્ય રીતે બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ પીળે ઘડે કહેવાથી તે એક પીળા ઘડાનું જ જ્ઞાન થાય છે. ઘડે એ સામાન્ય જ્ઞાન છે અને પળે ઘડે એ વિશેષ જ્ઞાન છે. જુઓ કે સામાન્ય રીતે એક ઘડે દેખવાથી બધા ઘડા આવા હોય છે એમ બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ આ ઘડો પીળે છે, શરદબાતુમાં બનાવેલ છે, પાણી કરવાના ગુણવાળે છે. એ વાત તે કોઈ વિશેષ જ્ઞાનથી જ જાણી શકાય છે.
આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી તે બધા પદાર્થને જાણશે