________________
છે, તે ચિતન્યને જ્ઞાન એ ગુણ છે. જે અજ્ઞાનતાથી કમ આવે છે તે તેના વિરોધી ભાવ રૂપ જ્ઞાન દથિી કર્મો આવતાં અટકી શકે છે. અને પૂર્વનાં બાંધેલાં કર્મો ચાલમાં જાય છે એટલે આત્મજ્ઞાન વડે આત્માની શુદ્ધિ થઈ શકે છે પણ બીજા કોઈ પદાર્થથી આત્માની શુદ્ધિ થતી નથી.
આત્મા પરથી તદ્દન જુદો છે એટલે ગમે તેવાં સારાં પરિદ્રવ્યો વડે સર્વ પ્રકારે પ્રયત્ન કરો છતાં આત્મા. શુદ્ધ થવાનું નથી, તેમજ તે પરદ્ર આત્માને સ્પર્શ પણ કરી શકવાના નથી. પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો તેને આત્માથી અલગ કરવાં હોય તે આત્મ સ્વરૂપની ભાવના કરવી, હું આત્મસ્વરૂપ છું તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું, આત્મસ્વરૂપને વિચાર નહિં કરનાર પરદ્રવ્યને ત્યાગ કરી શકતો નથી.
આત્માના દ્રવ્યગુણ પર્યાયને વિચાર કરવો, હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી, આત્માની અનંત શક્તિને તેમજ તેના જ્ઞાતા દષ્ટા પણના ગુણને વિચાર કરે આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું એવી જાગૃતિ કરી મૂકવી તે પદ્રવ્યને આત્માથી અલગ કરવાને ઉપાય છે.
પરદ્રવ્યને પણ જાણે ઓળખે. આત્માથી પ૨દ્રવ્યને અલગ કરવાની ઈચછાવાળાઓએ