________________
૧૧૭ વિના પહાડ ભેદી શકાતું નથી તેમ શુદ્ધ આત્માના ધ્યાન વિના મહાદિને નાશ કરી શકાતો નથી. વિશાળ અને મજબુત પહાડેને તેડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં તેની ઉપર વજના પ્રહારો કરતાં થોડા વખતમાં તેના કકડે કકડા કરી શકાય છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મ રૂપ પહાડે તેડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવા રૂપ વા વડે ઘણી સહેલાઈથી તે તેડી શકાય છે. ધ્યાન કરવાથી–ધ્યાનની સ્થિરતા રૂપ અગ્નિ વડે કર્મોમાં રહેલા રસ શોષી નાખવાથી કર્મો નિરસ થઈ ઘણુ થોડા વખતમાં આત્મ પ્રદેશથી ખરી પડે છે. જુદાં થઈ જાય છે, માટે મેક્ષના અથી જીવને કર્મો દૂર કરવા શુધ્ધ આત્માનું ધ્યાન કરવું તે એગ્ય માર્ગ છે. જેમ વ્યાધિવાળા મનુષ્યને અસાધ્ય જેવો પણ વ્યાધિ ઔષધે વડે દૂર થતાં તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે પણ તાવિક આનંદ, મહાન કલેશકારી અને દુખે દૂર કરી શકાય તેવી કમની અસાધ્ય જેવી જણાતી વ્યાધિને શુધ્ધ ધ્યાન રૂપ આષધ વડે દૂર કરવાથી આ રોગીને પ્રાપ્ત થાય છે.
આ કેવલજ્ઞાની કેવલ જ્ઞાનરૂપ નેત્રો વડે ઈન્દ્રિયાતીત પદાર્થોને સાક્ષાત્ જોઈને જીવની ગ્યતાનુસાર ધર્મોપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ મહાન પુન્યવાન હોવાથી દેવ આઠ મહા પ્રતિહાર્ય તેમની સેવા અર્થે બનાવે છે,