________________
" કેઇ કેઈને ઉપકાર કે અપકાર કરતું નથી,
કોઈ પણ જીવ કેઈ પણ જીવને ઉપકાર કે અપકાર કરતું નથી. હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરું છું એ મિથ્યા બુદ્ધિ છે. હા. સહકારી કારણનિમિત્ત કારણ રૂપે એક મનુષ્ય બીજાને સુખ દુઃખ આપે છે, અને એક બીજાને નિમિત્તે સુખી દુઃખી થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં જેટલા જેટલા સંકલ૫ વિક કરાય છે તે બધા તે જીવના કરેલા કર્મ બંધનમાંથીજ ઉત્પન્ન થાય છે. | માટીને ઘડ બનાવવામાં ચાકડે, કુંભાર, દેરી, દંડ વિગેરે સહકારી કારણ મનાય છે. મોટી ઉપાદાન કારણુંમૂળ કારણ છે. તેમ જીવને સુખ દુ:ખ જન્મ મરણ આદિ જે કાંઈ થાય છે તેની ઉત્પત્તિમાં મૂળ કારણ ઉપાદાન કારણ કર્મ છે અને તેને સુખી કે દુઃખી કરનાર બીજા જીવે તે સહકારી કારણ–નિમિત્ત કારણ છે. આ ખરા કાર-ણના જ્ઞાનના અભાવને લીધે, આ જીવ એમ માને છે કે હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરૂં છું પણ આ વિચાર સર્વથા ભ્રાંતિવાળો અને મિથ્યા છે. ઉપાદાન કારણ રૂપે ઉપકાર કે અપકાર કરનાર તો તેનાં શુભા શુભ કર્મ જ છે.
જેમ મેલ કપડાને પિતાની સોબતથી મલીન કરે છે અને બીજાને પણ મલીન દેખાડે છે. તેમ મિથ્યાજ્ઞાન, આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને પિતાની સોબતથી મલીન કરે છે અને વિશ્વના જે તે જીવના જ્ઞાનાદિમાં