________________
રિત્રથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી પણ તે જ્ઞાનાદિ ત્રણે સાથે હોય તેજ મેશને માર્ગ છે અને તેથી જ પૂર્ણતા પ્રગટે છે.
જે સંયમી આદરવા યોગ્ય વિવિધ પ્રકારના આચા૨માં પ્રવૃત્તિ કરી રહ્યો છે છતાં જે જ્ઞાની પુરૂએ નિશ્ચિત કરેલાં સિદ્ધાંતને જાણતા નથી તે કેવળ આંધળા મનુષ્યના જે છે. જ્ઞાન વિનાની ક્રિયા-ચારિત્ર એકલું ઉપયોગી નિવડતું નથી, આંધળા મનુષ્યની ગમે તેટલી સારી પ્રવૃત્તિ હોય છતાં આંખે વિના તે સદાને માટે યોગ્ય રસ્તા ઉપર ચાલી શકે નહિં. કાન્તાલીય ન્યાયે કદાચ તે એગ્ય રસ્તા ઉપર આવી જાય છતાં પણ તેની પ્રવૃત્તિ સ્વાર ઉપયોગી તે નજ થાય. આંધળે બીજાને રસ્તે તે ચડાવી ન જ શકે, માટે ચારિત્ર સાથે જ્ઞાનની પણ જરૂર છે. સિદ્ધાંત-શ્રુતજ્ઞાન એ સાધુઓનાં નેત્ર છે. એકેન્દ્રિયાદિને ઈન્દ્રિયે તેજ ચક્ષુ છે. દેવોને અવધિજ્ઞાન રૂપ નેત્ર છે અને નિર્વાણ પામેલાને કેવલજ્ઞાનરૂપ નેત્ર છે. એકેન્દ્રિયાદિ જીવેને ઈન્દ્રિ નેત્રની ગરજ સારે છે. સિદ્ધાંતરૂપ નેત્ર દ્વારા સાધુઓ જોવે છે અને તે દ્વારા જાગૃતિ મેળવી આત્મજ્ઞાનમાં આગળ વધે છે. દેવે અવધિ જ્ઞાનવડે પિતાનું હિત અહિત જાણે છે. અને સિદ્ધના છે સર્વ નેત્રવાળા છે-કેવળજ્ઞાનવડે વિશ્વને જુવે છે. માટે આગમમાં કહેલાં અનુષ્ઠાન કરવાં તે નિર્જરાનું કારણ થાય છે.