________________
અમૂર્ત આત્માને અનુગ્રહ કે નિગ્રહ કરી શક્તા નથી. તત્વથી હું જે ચેતન સ્વરૂપ છું તેનાથી અચેતન જુદું છે, માટે તે વિષે રાગ દ્વેષ કરે તે યુક્ત કેમ ગણાય? હું મારા શત્રુ કે મિત્રોનાં અચેતન શરીરે દેખું છું પણ આ ત્માને જોઈ શકો નથી તે પછી તેઓને અનુગ્રહ કે નિગ્રહ હું કેવી રીતે કહી શકું? શત્રુ કે મિત્રના શરીરને ઉષકાર કરવાથી કે નુકશાન કરવાથી તેના આત્માને ઉપકાર કે અપકાર થઈ શકતો નથી, કેમકે શરીર આત્માથી ભિન્ન છે.
આ મારે દેહ પણ મને અનુગ્રહ કે નિગ્રહ કરવાને સમર્થ નથી, તે શરીરને હું નિગ્રહ કે અનુગ્રહ કરું તે હું માનું છું કે તે મારી બુદ્ધિ વૃથા છે અર્થાત્ મારી મહે-નત નકામી છે.
કર્તા હર્તાની કલ્પના મિથ્યા છે. - બીજે કે મનુષ્ય મને ગુણ કરવાનું કે મારા ગુણને નાશ કરવાને સમર્થ નથી, તેમ હું પણ કેઈને ગુણ કરવાને કે તેના ગુણોને નાશ કરવાને સમર્થ નથી. હું કેઈને ગુણ કરું કે ગુણેને નાશ કરે અથવા બીજે મનુષ્ય મને ગુણ કરે કે મારા ગુણેને નાશ કરે તે બધી ક૯પનાઓ સિગ્યા છે અને મહાધિન જજ આ મિથ્યા કલ્પનાઓ કરે છે, જ્ઞાનાદિ ગુણ આત્માને સ્વભાવ તેને નાશ થતું નથી