________________
કહે છે. આમાં ગુર્નાદિક જે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ રૂપ છે તેને વંદના કરવી તે વિશેષ રૂ૫ વંદના છે. પવિત્ર આતમને નામ રૂપની કલ્પના વિના જે વંદના કરાય તે સામાન્ય રૂપે વંદના છે. બન્નેને કરાતી વંદના લાભ દાયક છે. છતાં શુભ ઉપગવાળી વંદના પુન્ય ફળદાતા છે. અને શુદ્ધ પવિત્રાત્માકારે પરિણમવા રૂપ વંદના સંવનું કારણ છે. ૩
* પૂર્વે કરેલાં કર્મોમાંથી જે કમે અત્યારે ફલ દેવા આવેલાં છે-ઉદયમાં આવેલાં છે તે કર્મભેળવવામાં મારા પણને ત્યાગ કરે, શુભાશુભ સુખ દુઃખના પ્રસંગે માં મારાપણું ન માનવું તેને પ્રતિક્રમણ કહે છે. પૂર્વે જે વખતે આ જીવે કમને બંધ કરેલ છે તે વખતે તેને પિતાનું આત્મભાન જાગૃત ન હતું તેથીજ કર્મને બંધ થયેલો છે. એ ભૂલ થઈ છે તે ભૂલ ત્યારેજ સુધરે કે જ્યારે આત્મા પિતે પિતાના સ્વરૂપમાં જાગૃત થાય અને તે, તે વખતે જ કહી શકે કે મનમાં માની શકે કે આ ઉદય આવેલ કર્મો ‘તમે મારાં નથી. તમે અત્યારે જે મને સુખ દુખ રૂપ ફળ આપવા આવ્યાં છે તે મારી ભૂલનું જ પરિણામ છે, એમ કહી તે સમભાવે ભેગવી લે અને તે ભેગવતાં નવાં કર્મ ન બધે તેનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ અટલે પાછું -હઠવું, સ્વભાવને ભૂલી વિભાવમાં ગયે હતું ત્યાંથી પાછા ફને પાછા સ્વભાવમાં આવ્યો માટે તેનું નામ પ્રતિક્રમણ છે૪