________________
જાય અને તેમાંથી જ્ઞાનદર્શન ઈત્યાદિ આત્મિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. આ કમેને ચાર પ્રકારનો બંધ આત્મા ઉપર આવરણ કરે છે.
જીવ જ્યારે રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષમાં એક રસ થઈ રહે છે ત્યારે કમને બંધ થાય છે. રાગદ્વેષ સિવાય એકલા મન વચન શરીરની પ્રવૃત્તિ કરવાથી તે કર્મબંધ થતું નથી, એટલે કર્મબંધનમાં મુખ્ય કારણ રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આ ચારે પ્રકારને બંધ થાય છે. રાગદ્વેષ જે ન હોય અને મન વચન શરીરની પ્રવૃત્તિ કરવામાં આવે તે. તેથી તે બંધ થતું નથી. રાગદ્વેષના પ્રમાણમાં કમની સ્થિતિને બંધ અને રસને બંધ થાય છે. મન વચન કાયાની શક્તિ–પ્રવૃત્તિ દ્વારા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. આ રાગદ્વેષ અને મનાદિની પ્રવૃત્તિ સાથેની વાત છે, પણ જે એકલા મનાદિ ગે હોય તે આ મનાદિથી થતે પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બંધ છતાં બંધન હોય તે સામાન્ય થાય છે. રાગદ્વેષથી થતે બંધ જે આત્માને હાનીકારક થાય છે તે કેવળ મનાદિ ચગેથી થતે બંધ નુકશાનકારક થતું નથી. માટે જ કહ્યું છે કે “રાગદ્વેષના અભાવમાં કર્મને બંધ થતું નથી.”
જેનું શરીર તેલ ઘી આદિ ચીકાશવાળા પદાર્થોથી ખ