________________
૨૩
ચોક્કસ છે. જે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છાએ પદ્રવ્યની–આત્મ સિવાયની ઉપાસના કરે છે તે હિમવંત પર્વત તરફ જવાની ઈચ્છા કરીને તેની વિરોધી બાજુએ સમુદ્ર તરફ પ્રયાણ કરનારના જેવું કરે છે એમ હું માનું છું, કેમકે તે તરફની પ્રવૃત્તિથી તેને તે વસ્તુ મળવાની નથી પણ ઉલટ તે તેનાથી વધારે વેગળે રહે છે. જે આત્મા પરદ્રવ્યનું ચિંતન કરનાર છે તે પરદ્રવ્યમાં તદાકાર થાય છે અને તેને પ્રાપ્તિ પણ તેની જ થાય છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે, તેમાં જ તદાકાર થાય છે, તેને તેનીજ પ્રાપ્તિ થાય છે. કેમકે વસ્તુમાં જે ગુણ હોય તેજ પ્રગટે, બીજે ક્યાંથી આવે ?
- આત્મામાં કમદિ નથી.
જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુદગલનાં બનેલાં છે. પુદગલે છે. તે આત્મામાં નથી. ઈન્દ્રિય આદિ પતિએ તે આત્મા નથી. પાંચ વર્ણો, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અને સચિત્ત અચિત્ત મિશ્ર શબ્દ, અને દેહ એ ચેતન નથી. શુદ્ધ સ્ફટિકને રાતાં પુષ્પાદિને સંબંધ થવાથી જેમ તેમાં રાતાશ દેખાય છે પણ તાત્વિક રાતાશ સ્ફટિકમાં નથી તેમ શરીરના વેગથી આત્માને વર્ણ ગંધાદિક કહેવાય છે પણ તાત્વિક રીતે તે આત્મામાં નથી. રાગ, દ્વેષ, મદ, ક્રોધ, લોભ, મેહ આદિ ઉદયિક ભાવના દોષે સંસારી જીને સદા ઉદયમાં