________________
૨૫
અને પુદ્ગલ આ પાંચ અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે. અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે, જીવને જેમ દ્રવ્ય કહેવામાં આવેલ છે તેમ આ અજીવના પાંચે ભાગાને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે બધા મળી વિશ્વમાં છ દ્રવ્યેા છે. જેમાં ગુણ અને પર્યાય હાય તે દ્રવ્ય કહેવાય છે. “ ગુણુ પર્યાય વાન્ તે દ્રવ્ય.” એ સામાન્ય રીતે દ્રવ્યનું લક્ષણ છે. ગુણ પર્યાયને દ્રવે—અરે તે દ્રવ્ય. આ દ્રવ્યેા સત્તામય અને અવિનાશી છે.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એમ ત્રણ પ્રકારે તે સત્તા છે. સ` પદાર્થામાં આ ત્રણે સત્તા વ્યાપ્ત છે. એક પર્યાયને અને અનંત પર્યાયને ધારણ કરનારી છે. ઉત્પન્ન થતી પદાર્થમાં ઉત્પન્ન થવા રૂપે સત્તા રહેલી છે. વ્યય-નાશ પામતા પદાર્થાંમાં વ્યય રૂપે સત્તા રહેલી છે અને અને સ્થિર રહેતા પદામાં સ્થિર રૂપે સત્તા રહેલી છે. આ એક એકની અપેક્ષાએ તે સત્તા એક રૂપે પણ છે. ઘટપટાઢિ સર્વ પદાર્થોમાં તે રહેતી હાવાથી અનેક રૂપ પણ કહેવાય છે.સવ પદાર્થમાં તે સત્તા એક સ્વરૂપે રહેતી હોવાથી એક સ્વરૂપ છે અને ભિન્ન ભિન્ન પદાર્થમાં ભિન્ન ભિન્ન રૂપે રહેતી હાવાથી તે અનેક સ્વરૂપ પણ છે. એક પર્યાયમાં રહેતી હાવાથી એક પર્યાય રૂપ છે અને પદાના અનંત પર્યાયમાં રહેતી હૈાવાથી અનંત પયાય સ્વરૂપ પણ છે.
મૂળ છ દ્રવ્યો કહ્યાં છે તે દ્રવ્યની અપેક્ષાએ કાઈ