________________
૫૦,
નિશ્ચયથી લોભ, મોહ, કામ, ક્રોધાદિ દોની ઉત્પત્તિ થાય છે છતાં તે દોષથી જીવની સાથે કર્મને જે સંબંધ થાય છે તે નિશ્ચયથી થતું નથી પણ વ્યવહારથી થાય છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે. નિશ્ચય નય મૂળ સ્વરૂપને વિષય કરનાર છે. વ્યવહાર નય બાહ્ય સંબંધસંગ સંબંધ કરનાર અને બહારને વિષય કરનાર છે. લભ મહાદિની ઉત્પત્તિ નિશ્ચય નયનો વિષય એટલા માટે છે કે તે પુગલના પરિણામ રૂપ છે, અને પુદ્ગલને કઈ વિશિષ્ટ આકાર ધારણ કરે છે, એટલે તે પરમાણુ આદિની. થતી આકૃતિ મૂળ દ્રવ્ય રૂપ છે, ત્યારે શુદ્ધ નિશ્ચય નયે. આત્મ શુદ્ધ નિષ્કલંક છે, તેની સાથે કર્મને જે સંબંધ થાય છે તે વ્યવહારથી છે. કેમકે આત્મા અને કર્મ અને ભિન્ન ભિન્ન દ્રવ્યું છે તેમને અભેદ સંબંધ થતું નથી, પણ સંયોગ સંબંધ થાય છે, એટલે તે બને સાથે રહે છે પણ તેટલાથી કાંઈ એક બીજા રૂપે, પુદ્ગલ જેમ પુગલની સાથે પરિણામ પામીને રહે છે તેમ આત્મા અને કર્મ પરિણામ. પામીને રહેતાં નથી એટલે જ કહેવામાં આવે છે કે નિશ્ચયથી આત્મામાં આશ્રવ બંધ થતો નથી પણ વ્યવહાર દષ્ટિએ થાય છે.
આથી એ ફલિતાર્થ થાય છે કે મિથ્યાજ્ઞાન-વિપરીત જ્ઞાનની સાથે મન વચન કાયાની શક્તિ ભળતાં તેમાંથી. અનેક કલ્પનાઓ થાય છે. વચન દ્વારા તે કલ્પનાઓ પ્રગટ