________________
૩૭
નેલાં છે. તેરમું ગુણસ્થાન મનાદિ વેગોને લઈને ટકી રહેલું છે, માટે તે બધાં પુદ્ગલિકજ છે. ચિદમાં ગુણસ્થાનમાં મનાદિચોગને અભાવ છે, માટે તે પુગલિક નથી.
વિચાર બે દ્રષ્ટિથી કરાય છે. આત્મિક દ્રષ્ટિથી અને પુદ્ગલિક દ્રષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કમરહિત છે, એ દ્રષ્ટિ નિશ્ચયની છે અને તે તાવિક છે. તે દ્રષ્ટિએ વિચાર કરીએ તે જે જે ગુણસ્થાનમાં આત્માની પૂર્ણતામાં ઓછાશ લાગે છે ત્યાં ત્યાં વિચાર કરતાં સમજાય છે કે તેટલે કર્મભાગ–મલીનતાવાળો ભાગ પુગલને છે. અમુક પ્રકૃતિની સત્તા કે ઉદય જ્યાં હોય તે અમુક ગુણસ્થાન કહેવાય, એટલે કર્મ પ્રકૃતિનો ઉદય અને કર્મ પ્રકૃતિની સત્તા, આ મલીનતા આત્માના ઘરની નથી પણ પુગલના ઘરની છે એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મળ દ્રષ્ટિએ આ બધાં તેરે ગુણસ્થાને જડ પ્રકૃતિને લઈને બનેલાં છે એમ સમજાયા વિના નહિં રહે. - પુદ્ગલિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે આ ગુણસ્થાને આ કર્મ ઓછું થયું એટલે આત્મગુણ પ્રગટા. એમ આગળ જેમ જેમ વધવામાં આવે–આગળનાં ગુણસ્થાને પ્રાપ્ત થતાં જાય તેમ તેમ કર્મ પુદગલે ઓછાં થતાં જાય અને આત્મગુણ પ્રગટ થતું રહે, એમ ચંદમે ગુણસ્થાને બધાં કામે નાશ પામે અને પૂર્ણ આત્મ સ્વરૂપનો વિકાશ થાય. આ દષ્ટિએ ગુણસ્થાનકને ગુણરૂપ-આત્માના વિકાસરૂપ વ્યવહારથી માનીએ તો તે યોગ્ય છે. અને સ્થાને