________________
જીવ અને કર્મને અન્ય અન્ય સંબંધ.
સરાગી જીવનો આશ્રય લઈને પુદ્ગલો કર્મપણાને પામે છે, તેમ જીવ પણ કર્મોને આશ્રય લઈને સરાગીપણને પ્રાપ્ત થાય છે. આત્મભાન ભૂલી કર્મના ઉદયને લઈને જીવ રાગ દ્વેષ પણે પરિણમે છે તે વખતે આ વિશ્વમાંથી તેને લાયક પુલ આકષઈને જીવની સાથે સબંધ કરે છે. રાગદ્વેષના નિમિત્તે પુગલે કર્મ રૂપે પરિણમે છે, અને જ્યારે પુગલો કર્મ રૂપે પરિણમે છે ત્યારે જીવ કર્મના નિમિત્તે રાગદ્વેષી થાય છે.
આ પ્રમાણે વિચારતાં 'રાગદ્વેષાદિ ભાવે કર્મ કરે છે તે પછી જીવને કર્મનો કર્તા કેમ કહેવાય? અર્થાત્ નજ કહેવાય. નિશ્ચય દષ્ટિએ આત્મા પિતાના આત્મિક ભાવને -પરિણામને મૂકીને બીજું કાંઈ કરતા નથી. જે કાર્ય કરે તે કર્તા. રાગદ્વેષ કર્મ કરે છે માટે કત્તો પણ તે રાગાદિજ કહેવાય. કર્મથી રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે અને રાગાદિ ભાવથી કર્મ ઉત્પન્ન થાય છે. આમ ભાવ અને કર્મનું અન્ય અન્ય કર્તાપણું છે. જે વખતે ભાવ, કર્મને કરે છે ત્યારે કર્તા ભાવ છે, અને જે વખતે કર્મ, ભાવને કરે છે તે વખતે કર્મ કર્તા છે. આ પ્રમાણે ભાવ કર્તા અને કર્મ છે. અને કર્મ પણ કર્તા અને કર્મ છે.
વ્યવહાર દૃષ્ટિએ કર્તા જીવ છે. જેમ પદાતિ સુભાટેએ જીતેલું યુદ્ધ રાજાએ કહ્યું એમ