________________
૫૫
પરિણામ ઉત્પન્ન કરે છે. સિદ્ધના જીવ અષાયવાળા હોવાથી તેમને પરિણામ હોતા નથી. કેવળ જ્ઞાનીઓને પણ સર્વથા કષાય પરિણામ હોતા નથી, તેથી તે કર્મબંધન પામતા નથી. જીવ જે અપરિણામે રહેવાનો પ્રયત્ન કરે તે તેને કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયે ઉત્પન્ન ન થતા હોવાથી તેના અપરિણામી ધર્મમાં વધારો થયા કરે છે. અભ્યાસથી કષાયોની જડ ઉખડી જતાં તે બરોબર અપરિણામી આત્મસ્વરૂપ થઈ રહે છે, ઘાતિકર્મને સંબંધ દૂર થતાં આત્મા અપરિણમી સદાને માટે થઈ રહે છે. કેવળજ્ઞાની જીવોને ઘાતિ ન હોવાથી કષાય ઉત્પન્ન થતા નથી તેથી તે અપરિણામી છે. તે જીવને કષાયથી આવતા આશ્રવ બંધ થાય છે અટકી જાય છે.
જીવ તથા કર્મને અને અન્યના ગુણોનું કર્તાપણું નથી, કેવળ એક બીજાના નિમિત્તથી એકબીજાના પરિણામની ઉત્પત્તિ થાય છે. તાત્વિક દષ્ટિએ-નિશ્ચય દહિટએ જીવ તથા કમેને પોતપોતાના ગુણોનું કર્તાપણું છે જવ તથા કર્મ એક બીજાના ગુણે કરે છે તે વાત વ્યવહારની અપેક્ષાએ કહેવાય છે. જ્ઞાનદર્શનાદિ ગુણો જવના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આવરણે તે કમરના ગુણ છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદશન આદિ જીવના પરિણામ-પર્યાય છે. મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદશનાવરણ, અચક્ષુ