Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
વગેરે આગમનિષિદ્ધ આચરણા અંધપરંપરાએ ચાલી આવી તે સુવિહિતોને પ્રમાણ કરવા યોગ્ય નથી. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સવાસો ગાથાના સ્તવનમાં કહે છે કે :
૫૩
જેહમાં નિજમતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે,
અંધ પરંપરા બાંધિઓ, તેહ અશુદ્ધ આચારો રે. તુજ. II૬૮॥
વ્યાખ્યા : જેમાં પોતાની મતિકલ્પના હોય તેનાથી ભવપાર ન થવાય. જે અંધપરંપરાથી બાંધેલ હોય તે આચાર અશુદ્ધઆચાર ગણાય.
उक्तं च
जहसड्ढेसु ममत्तमित्यादि ॥६८॥
શિથિલવિહારીએ આદર્યા, આલંબન જે કૂડાં રે,
નિયતવાસાદિક સાધુને, તે વિ જાણીએ રૂડાં રે. તુજ. ॥૬૯॥ વ્યાખ્યા : શિથિલવિહારી પાર્શ્વસ્થાદિક સાધુઓએ જે ખોટા આલંબન આચર્યાં હોય તે સાધુ માટે રૂડાં (આચરવા યોગ્ય) ન ગણાય.
કહ્યું છે કે
नीआवासविहारं चेइयभत्तिं च अद्यियालाभं ।
विगईसु अपडिबद्धं णिद्दोसं चोईआ बित्ति ॥ १ ॥
આમ, આવશ્યકમાં તેના સર્વ ઉત્તર છે. આલંબન તો માત્ર કલ્પના છે. आलम्बणाण लोगो भरिउ जीवस्स अजऊकामे ।
जं जं पासइ लोए तं तं आलंबणं कुणई ॥ १ ॥ ॥ ६८ ॥
ઉપર લખ્યાનો સારાંશ એ છે કે જીતઆચરણાવ્યવહાર તીર્થંકરઆજ્ઞાથી સૂત્રઅવિરુદ્ધ પરંપરાએ આવ્યું તે આત્મહિતેચ્છુઓએ પ્રમાણ કરવું, પણ તીર્થંકરઆજ્ઞા વિના સૂત્રવિરુદ્ધ જીતઆચરણા બહુશ્રુતની કરેલી હોય તોપણ અપ્રમાણ છે.
તથા ચોરૂં શ્રીવ્યવહાર-નિશીથ-ગોષનિયુત્તિ-માધ્ય-વૃળિવૃત્તિષુ । તત્વાનઃ ॥