Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 437
________________ ૩૭૮ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દેવવંદના કરવી સિદ્ધ થઈ. એનો જવાબ એ છે કે પૂર્વાચાર્યોના કરેલા ગર્ભહેતુઓમાં તો વિસ્તારથી દેવવંદના લખી નથી અને આધુનિક ગર્ભહેતુ ગચ્છ-ગચ્છના જુદાં-જુદાં છે, તેમાં કેટલાકમાં તો સામાન્ય પ્રકારે ચૈત્યવંદના લખી છે ને કેટલાકમાં જિનગૃહમાં વિસ્તારથી દેવવંદના કરી પ્રતિક્રમણ કરવું. તે માટે પ્રસંગ પ્રાપ્ત વિસ્તારે ચૈત્યવંદનાવિધિ એ લખી સંભવે છે. જેમ “ગન્ન વસ્ત્રાનિતમેવ ચં નાતિતપ” એટલે પાણી ગળીને પીવા યોગ્ય છે, પણ અણગળેલું ન પીવું એ વાક્યમાં વિશેષણ વિધિ નિષેધ્યો. વિશેષણમુસંક્રામ એ ન્યાયના બળે કરીને જલ ગળવાનો જ ઉપદેશ ત્રસજીવ રક્ષાર્થે કર્યો. પણ જળપાન તથા જળના જીવોની વિરાધનાનો ઉપદેશ નથી, તેમ જિનગૃહમાં વિસ્તાર વિધિ કરીને તથા પ્રતિક્રમણ અવસરે સામાન્ય વિધિએ ચૈત્યવંદના વિના પ્રતિક્રમણ નહીં પણ પ્રતિક્રમણમાં ચૈત્યવંદના ન જાણવી, તથા જ્યાં સામાન્ય તથા વિશેષ વિધિ હોય ત્યાં સામાન્ય શાસ્ત્રથી વિશેષ શાસ્ત્ર બળવાન હોય એ ન્યાયથી વિશેષ વિધિમાં જેનું વિશેષપણું કહ્યું હોય તે ગ્રહણ કરવું. તેમ જ આગમમાં કહ્યું છે. તે પાઠ : कामीसघरंगणउ थुलपइणासि होइ दट्ठव्वा । छेयणभेयणकरणउदिट्ठकडं पि से भुंजेति ॥१॥ (निशीथभाष्ये उ. ૨૧) एतच्चूयेकदेशो यथा जं चउद्दिट्टकडं तं कडसामाइओवि भुंजइ एवं सो सव्वविरइओ ण हवइ एतेन कारणेन तस्स ण कप्पइ दाउत्ति ॥ अस्य भावार्थोऽन्यत्रैवमुक्तं सामायिकं चेह भोजनभणनेन पौषधिकस्यैवावसातव्यं यत्तु तथाभूतस्यापि सामायिकस्य भावस्तवत्वेन व्यपदेशः तत् व्यवहारतः संयतानुक्तातिमात्रेणावसातव्यः निरवद्यत्वात् तदपि श्रमणकल्पस्यैव श्रमणोपासकस्य सत्त्वात् यदागमः सामाइयंमि उकए समणो इव सावओ हवइ जम्हत्ति ॥ श्री आव. नि. ॥ अत एव कृतसामायिकः श्रमणोपासकोऽपि श्रमणवत् कुसुमादिभिर्जिनेन्द्रपूजां

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494