Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૪૧૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દુર્લભબોધિપણાનું કર્મ બાંધે તે અવર્ણવાદ એમ, દ્વેષથી કહે કે શેનો આચાર્ય ? છોકરો છે, કાંઈ જાણતો નથી, ઇત્યાદિ. પણ એનો ઉત્તર જાણતો નથી જે બુદ્ધિ આદિથી વૃદ્ધિપણું છે તેથી બાલપણાદિકનો દોષ નથી માટે અવર્ણવાદ ન બોલવો એ ત્રીજું. ૩ી તથા ચાર છે વર્ણ એટલે પ્રકાર છે જેને વિશે તે ચાતુર્વર્ય કહીએ એટલે સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા ચાર વર્ણરૂપ સંઘ તેમનો અવર્ણવાદ બોલતો થકો દુર્લભબોધિપણાનું કર્મ બાંધે. તે અવર્ણવાદ એમ છે કે કોઈ મૂરખ એમ બોલે જે બહુ જણાનો સમુદાય બળે કરીને પશુસંઘની પેઠે માર્ગ નથી તેને માર્ગ જેવો કરે એ શાનો સંઘ ? એમ બોલે તે સારો નહિ કેમ કે તે સંઘ જ્ઞાનાદિક ગુણનો સમુદાયરૂપ છે. તેથી તેને સંઘ કહ્યો છે ? તેને તો માર્ગની પેઠે જ માર્ગ કર્યો છે. તેથી તેનો અવર્ણવાદ ન બોલવો. બોલે તો દુર્લભબોધિપણાનું કર્મ કરે એ ચોથો. l૪ તથા વિપક્ક કે સંપૂર્ણ ભલી રીતે અતિશયે કરીને પર્યન્તને પ્રાપ્ત થયો છે તપ અને બ્રહ્મચર્ય, પ્રાપ્ત થયો છે તપ અને બ્રહ્મચર્ય ભવાંતરમાં જેમના અથવા વિપક એટલે ઉદય આવ્યા છે તપ અને બ્રહ્મચર્ય તેના કારણથી દેવતાના આયુષ્યાદિ કર્મ જેમને એવા દેવ તેમનો અવર્ણવાદ બોલતો દુર્લભબોધિપણાનું કર્મ કરે. દેવોને અવર્ણવાદ તે એમ છે કે સમયે (જરૂર પડે ત્યારે) પણ જોવામાં આવતા નથી. તેથી દેવતા છે જ નહિ. અથવા છે તો તે પણ વિટ પુરુષની પેઠે અર્થાત્ અત્યંત કામી પુરુષની પેરે કામ સેવવામાં જેમનું મન આસક્ત રહે છે, એટલે જેમ નીચ માણસ કામમાં રક્ત રહે તેમ તે રહે છે. તો તે શા કામના છે ? તથા તે દેવ અવિરતિ છે, કાંઈપણ ત્યાગ કરતાં નથી. તેમની આંખો મીચતી નથી. તે માટે કંઈપણ ચેષ્ટાઓ કરીને રહિત હોવાથી મરણ થયેલ પુરુષ સરખા છે. વલી પ્રવચનના કાર્યમાં પણ ઉપયોગ નથી કરતા. એટલે જૈનશાસનના કોઈ કામમાં પણ આવતાં નથી. એવા દેવતાઓએ કરીને શું? ઇત્યાદિક દેવોના અવર્ણવાદ દ્વેષથી બોલે તે દુર્લભબોધિકર્મ ઉપાર્જન કરે. તે મૂરખ અહીં ઉત્તર જાણતો નથી જે દેવ છે તેમનો કરેલો અનુગ્રહ અને ઉપઘાત ઇત્યાદિ દેખવાથી એટલે ભક્તિથી લોકોનું કરે છે અને ઘણું હાનિ કરે છે. એ દેખવાથી દેવ છે અને કામ-ભોગમાં આસક્ત છે તે તો મોહનીયકર્મ અને શાતાવેદનીયનો ઉદય છે તે કર્મના ઉદયથી મૈથુનમાં