Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૯૩ અજાણપણે શ્રી ઉપદેશમાલામાં તકે તે ખમઓકે ખમો સાંસહો મજઝકે માહરું સળંકે સઘલું એ કુણ જિણવણકે જિન-વીતરાગના મુખ થકી વિશિષ્મયાકે નીકલી એવી જે વાણીકે વાણી શ્રુતદેવતા તે. //પ૪૪|
તથા આત્મારામજી આનંદવિજયજીએ શ્રી સત્યવિજયજી પંન્યાસને પોતાની પટ્ટપરંપરામાં માન્યા છે. તેમના શિષ્ય શ્રી વૃદ્ધિવિજયજીએ શ્રી ઉપદેશમાલા પદાર્થમાં પ્રગટ જિનવાણીને શ્રુતદેવી કથન કરી છે. તે પાઠ જેમ લખ્યો છે તેમ લખીએ છીએ.
अक्खरमत्ताहीणं जं चिअ पढिअं अयाणमाणेणं ।। तं खमओ मज्झसव्वं जिणवयणविणिग्गया वाणी ॥५४४॥ અખરકે અક્ષરે કરીને અથવા મત્તાકે માત્ર કરીને હણકે હીન અધિકું અથવા ઓછું જંચિયકે જે કાંઈ વલી પઢિએ કે કવિઓ હોએ અયાણમાણેણકે અજાણપણે એ શ્રી ઉપદેશમાલામાંહે સંકે તે ખમઓકે ખમો સાંસહો મઝે કે મારું સળંકે સઘળું એ કુંણ જિણવણકે જિન-વીતરાગના મુખ થકી વિશિષ્મયાકે નીકલી એવી જે વાણી કે વાણી શ્રુતદેવતા છે. શ્રીમદશોविजयवाचकसत्प्रसादान्निष्यायादितोऽयमतिमंदजनस्य हेतोः स श्रीकसत्यविजयाह्वगणींद्रमुख्यशिष्येण वृद्धिविजयेन पदार्थगुंफः ॥१॥
હવે જાણવું જોઈએ કે આત્મારામજી આનંદવિજયજીની ગુરુપરંપરાવાળા જો જિનવાણીને શ્રુતદેવી માનતા આવ્યા તે વચન ફેરવી શ્રુતદેવીને વ્યંતરરૂપે માની તેમના વચન જૂઠા માનવાં ત્યારે તો ગુરુ પણ જુઠા સિદ્ધ થાય. અને જો આત્મારામજી આનંદવિજયજીના ગુર્નાદિક જૂઠા હતા તો એમની તો શી ગતિ થશે ? તથા ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૧૫૩-૧૫૪ તથા પૃષ્ઠ-૧૭૧-૧૭૨માં મૃતદેવીનો અર્થ જિનવાણી તજીને આવશ્યકસૂત્ર પ્રમુખના પાઠ લખ્યા છે અને વ્યંતરાદિ પ્રકાર શ્રુતદેવીના કાયોત્સર્ગ તથા તેની થોય પ્રમુખ પ્રતિક્રમણમાં કરવાનો અભિપ્રાય જણાવ્યો છે. તે એકાંતે પોતાના પૂર્વાપરવિરુદ્ધ વચનની નિશાની જાણવી સંભવે છે. કેમ કે “નમો
વયાણ' એ પાઠનો અર્થ આત્મારામજી આનંદવિજયજીએ