Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૪૩ છે એ પ્રકારે ઇરિયાવહિયં પડિક્કમીનો મોટા કાવ્યનો અર્થ સમજાતો એવો નમસ્કાર ચૈત્યવંદન કહે. ચૈત્યવંદનના કાવ્ય કહ્યાં પછી એક-એક આંગળી માંહોમાંહે કરી ડોડાને આકારે બે હાથ કરીને પેટ ઉપર બે હાથની કોણી રાખીએ તે યોગમુદ્રા કહીએ છીએ. એ લક્ષણે યોગમુદ્રાએ પ્રણિપાતદંડક તે નમુત્થણે કહે. ત્યારપછી ઊઠીને બે પગ વચ્ચે આગળ ચાર આંગળનું અને પાછળ ચાર આંગળથી કાંઈક ઓછું છેટું રાખીને ઊભા રહેવું તે જિનમુદ્રા કહીએ ૧II એવી જિનમુદ્રાએ કરીને ચેત્યસ્તવનો દંડક પઠતિ કહેતાં કહે છે, અરિહંત ચેઇયાણું એ ચૈત્યસ્તવ અહીં થોય કહેવી. મૂલનાયકજી ભગવંત હોય તેની કહેવી. તે થોય કહ્યા પછી આ અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં જે તીર્થકર થયા તે નજીકના ઉપકારી માટે તે નામતીર્થ સ્તુતિ કરવાને લોગસ્સ ભણીએ વર્તમાન તીર્થકર સ્તુતિ લોગસ્સ ઇત્યાદિ એ ચોવીસત્યો લોગસ્સ કહીને સર્વ લોકને વિષે ચૈત્યવંદનાને અર્થે કાઉસગ્ન કરવાને એમ કહે છે સબ્ય લોએથી વોસિરામી સુધી થોય અહીં સર્વ તીર્થકરની સાધારણ કહે છે. હવે જો અરિહંત અને અરિહંતે કહ્યા તે ભાવ જેણે કરીને જાણીએ તે દીવા સમાન સિદ્ધાંત સ્તવવા યોગ્ય છે. તે વતી સિદ્ધાંતની સ્તુતિ કહીએ છીએ. ત્યાં પણ તે સિદ્ધાંતના કહેનારને પ્રથમ સ્તવે છે. પુખરવરદીવઢે ઇત્યાદિ યાવત્ અધ્ધાણં વોસિરામિ સુધી લગે કહેવું. અહીં થોય સિદ્ધાંતની કહેવી. ત્યારપછી સર્વ ક્રિયાનું ફળરૂપ સિદ્ધને નમસ્કાર કરવા માટે કહે “સિદ્ધાણં બુદ્ધાણં” ઇત્યાદિ. એમ એ ભણીને પુણ્યનો સમૂહ ઉપાર્જી કહે છે. યોગ્યને વિષે ઉચિત આચરવાને અર્થે એનો અર્થ કહે છે. વૈયાવચ્ચગરાણ. વૈયાવચ્ચના કરનાર જૈનશાસનના અર્થે સાહાયકારી ગોમુખયક્ષાદિક વળી શાંતિકરાણાં અર્થાત્ સર્વ લોકને શાંતિકારી, સમકિતદષ્ટિને સમાધિનાં કરનાર. અહીં છઠ્ઠી તે સાતમીના અર્થમાં છે. તે યક્ષને આશ્રયીને કાઉસગ્ન કરું છું. અહીં વંદણવત્તિયાએ ન ભણીએ. કેમ કે તે યક્ષ અવિરતિધર છે તે માટે અન્નત્થ ઉસિએણે તે પૂર્વની પૂરે છે.
અર્થ - ત્યાં પછી એ યક્ષોની થાય ભણીને પહેલાં નમુત્થણે કહીએ. ત્યાં પછી જાવંતિ ચેઇયાઇ – જાવંત કવિ સાહૂ કહી ઉવસગ્ગહર તથા