Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૭૯ લખવા ઉપર કર્ણ-દષ્ટિ દેશો નહીં, ને કોઈ વિકારી જનોના કથનથી પૂર્વધરપૂર્વાચાર્યોના કથનને તોડફોડ કરવાની કુયુક્તિઓ કરીને જૂઠ હઠ કરશો નહીં તો આપણા જૈનમતમાં કોઈપણ પૂર્વધર પૂર્વાચાર્યોથી વિરુદ્ધ નવીન સુદઢ પરંપરા ચલાવી કુપંથુઓની જેમ બહુ લોક દુર્ગતિના અધિકારી થઈ જાય એવા દુરાગ્રહી ટિંખળ હોવાનો ભય મટી જશે અને જૂઠ કથન ઉપદેશ વિકારી લોકોને પણ અમારું એ કહેવું છે કે કોઈ દુષ્કર્મના ઉદયથી જૂઠા કદાગ્રહમાં પડીને પૂર્વધર-પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરી જૂઠા લેખ લખવાથી તમે પણ આવતા ભવમાં એવાં ખોટાં કર્મોથી દુઃખ પ્રાપ્ત કરશો. તેથી આવતા ભવનો ડર રાખીને શ્રી જિનવચનો પર શ્રદ્ધા લાવી ખરા સમજવાન હો તો પૂર્વાચાર્યોના ગ્રંથોમાં જો પોતાની મનકલ્પનાથી જૂઠો પાછો પ્રક્ષેપ કરી જૂઠો લેખ લખ્યાનો સર્વ જન સમક્ષ મિચ્છા મિ દુક્કડ દેઈ તે લેખને જલશરણ કરાવવાથી જો માનભંગ થવાનું દુ:ખ તમને લાગતું હોય તો તે ન લગાડી તેને બદલે તેને સુખરૂપ સમજી લ્યો તો એક ભવ માનભંગ હોવાથી ભવોભવ તમારો માનભંગ થશે નહીં ને આગળ સંસાર તરવો સુલભ થશે, એ મોટો ફાયદો થશે. એ જ વાત પોતાના હૃદયમાં દઢ કરો કે આ ભવમાં મિચ્છામિ દુક્કડ દેવાથી વિદ્વજ્જનોના હૃદયમાં તો તમે વિવેકવંત મોટા પુરુષોની પંક્તિમાં ગણાશો. કેમ કે જે પ્રાયશ્ચિત્ત લઈને પોતાના પાપની શુદ્ધિ કરે છે તેને વિવેકનંત પુરુષ તો મોટા પંડિતોથી પણ અધિક માને છે, તો તમે ખરો વિચાર કરો તો આ ભવમાં પણ કંઈ માનભંગ પ્રાપ્ત થતો નથી. પણ અધિક મહત્ત્વપણાની પ્રાપ્તિ થાય છે. એવી રીતે સાચા વિચાર કરવાવાળા પુરુષોને તો સર્વ વાત સુલભ જ થાય છે. તો વિચારવંતોએ વિચાર કરવો જોઈએ, અધિક શું કહેવું? પછી તો જહાસુખે. __ पूर्वपक्ष :- हमने सुना है कि "सम्मद्दिट्ठी देवा" इस पद की जगह तुमने कोई अन्य पद का प्रक्षेप करा है, जे कर यह कहने वाले का कथन सत्य होवे तब तो तुमको भी उत्सूत्र प्ररूपण करणे का और संसार की वृद्धि होने का भय नहीं रहा है, यह बात सिद्ध होती है।